health

હરતા-ફરતા આ એક વસ્તુ સૂંઘી લો, જિંદગીભર માટે માથાનો દુખાવો દૂર થઈ જશે,

નમસ્કાર દોસ્તો,આપણે જોઈએ તો ઘણા લોકોને માથાનો દુખાવો રહેતો હોય છે,આ માટે તેઓ માથાના દુખવાની ગોળીઓ ગળે છે પણ ગોળીઓ ખાવી યોગ્ય નથી,તો તેનાથી કાયમ માટે છુટકારો મેળવવા શું કરવું જોઈએ ? ચાલો જાણીએ.આજે આપણે જે દવા વિશે જાણીશું જે ૯૦ % લોકો પર કરેલ સફળ પ્રયોગ છે,આયુર્વેદની આ સૌથી સારી દવા છે.

જે લોકોને માથાનો દુખાવો થતો હોય તેમના માટે આ દવા અદ્ભુત કામ કરે છે.આ વનસ્પતિને ગુજરાતી ભાષામાં અઘેડો કહીએ છીએ,તમે અપામાર્ગ ક્ષાર કોઈ ગાંધીની દુકાનેથી અથવા ઓનલાઈન મંગાવી શકો છો.સૌથી પહેલા તમારે અપામાર્ગનો ક્ષાર લેવાનો છે,ત્યારબાદ ગોદન્તિ ભસ્મ લેવાની છે,ગોદન્તિ ભસ્મ એટ્લે ગાયના દાંત જેવો એક પથ્થર આવે છે.

એટ્લે એનું નામ ગોદન્તિ ભસ્મ કહેવાય છે,આ ગોદન્તિ ભસ્મ પણ તમને બજારમાં મળી રહે છે.ત્યારબાદ બંનેમાંથી એક-એક ચપટી લેવી, આ બંનેને મિક્સ કરવી, પછી સવારમાં વહેલા ઉઠી,લોકો પહેલા જેમ છીંકણી ખેંચતા હતા તેમ આ ચપટી નાકમાં સૂંઘવાની છે,તમારે આ પાવડર સવાર-બપોર અને સાંજ એમ ત્રણ ટાઈમ સૂંઘવાની છે.તમે પહેલી વાર સૂંઘશો એટ્લે છીંકો આવશે,આવું તમે ૨-૩ મહિના નિયમિત કરશો એટ્લે દરરોજ માટે માથાનો દુખાવો દૂર થઈ જશે.

નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલુ હોય તો તેમની યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવવો.અમે આ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરી છે આ અંગે અમે કોઈ પુષ્ટિ કરતા નથી,અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.