Astrology

આખરે કેમ સદીઓથી કરવામાં આવે છે હવન? શું છે વૈજ્ઞાનિક ફાયદા.

હિન્દુ ધર્મમાં ઘણા રીત રિવાજ અને પરંપરા હોય છે. તેમ વધારે પડતાં ફક્ત ધાર્મિક મહત્વ ધરાવતા હોય છે એવું નહીં પણ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. હવે પૂજા પાઠ દરમિયાન કરવામાં આવતા હવન વિષે જાણીએ. જયારે કોઈ દેવી કે દેવતાની પૂજા થાય છે તો તેમાં હવનને ખુબ મહત્વ આપવામાં આવે છે. કોઈપણ શુભ અને માંગલિક કાર્યમાં પંડિતજી હવન જરૂર કરાવે છે.

હવન વિના તમામ માંગલિક કાર્યો અને પૂજા અધૂરી માનવામાં આવે છે. હવન અથવા સંપૂર્ણ યજ્ઞ કરવાની પદ્ધતિ બધી જ પૂજામાં લગભગ સમાન છે. આ હવનની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. પછી ઋષિ મુનિ પણ યજ્ઞ-હવન કરીને દેવતાઓને પ્રસન્ન કરતા. એકંદરે આ હવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તમે પણ તમારા ઘરમાં પૂજા, કથા, વ્રત, લગ્ન કે કોઈપણ શુભ કાર્ય માટે હવન કરાવતા જ હોવ. આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ હવનનો હેતુ શું છે? આ કયા કારણોસર કરવામાં આવે છે? આજે અમે તમને હવનનું ધાર્મિક મહત્વ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક ફાયદાઓ પણ જણાવવા જઈ રહ્યા છીએ.

હિન્દૂ ધર્મમાં દરેક પૂજા પાઠ પછી હવન કરવાનું વિધાન હોય છે. આ હવનથી આપણે અગ્નિદેવના માધ્યમથી દેવી દેવતાઓનો સંપર્ક કરીએ છીએ અને તેનાથી આપણા બધા દુઃખ દર્દ દૂર થઇ જતા હોય છે અને મનોકામના પુરી કરવા માટેની વિનંતી કરીએ છે. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથમાં પણ હવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 
એવું કહેવાય છે કે હવન કરવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા અને દુષ્ટ આત્માઓનો નાશ થાય છે. એટલું જ નહીં જો કોઈ ગ્રહ દોષ હોય તો તે પણ આ હવનથી દૂર થઈ જાય છે. આ જ કારણ છે કે ભૂમિ પૂજન કે મકાન નિર્માણ, પૂજા-પાઠ, કથા અને લગ્ન જેવા કાર્યક્રમો જેવા શુભ કાર્યમાં હવન અવશ્ય કરવો જોઈએ.

હવનથી માત્ર ધાર્મિક લાભ જ નથી પરંતુ વૈજ્ઞાનિક લાભ પણ છે. હવનમાં વપરાતા લાકડાની જેમ તેમાં જે સામગ્રી નાખવામાં આવે છે તે બળીને ધુમાડો નીકળે છે ત્યારે તેનાથી ઘણો ફાયદો થાય છે. આ હવનમાંથી નીકળતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે.હવનથી સ્વાસ્થ્ય અમે મગજને બહુ લાભ થાય છે. હવનમાં શામેલ થવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. તેનાથી હવામાં રહેલ કીટાણુઓ પણ પુરા થઇ જાય છે. કહેવાય છે કે હવનમાં 94 ટકા હાનિકારક જીવાણુ નષ્ટ કરવા માટેની શક્તિ હોય છે, એટલે સમય સમય પર ઘરમાં હવન કરાવવો જોઈએ.