IndiaNewsRajasthan

IAS ની વહુએ લગ્નના ફક્ત 2 મહિનામાં જીવનનો અંત આણ્યો, ઝેર ખાઈને બોલી,બચાવી લો પપ્પા….જાણો આ સમગ્ર કિસ્સો,

કહેવાય છે લગ્ન પછી દરેક માટે એક નવું જીવન શરૂ થાય છે.લગ્ન પછી દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહિત હોય છે.પરંતુ જોધપુર હાઈકોર્ટ કોલોનીમાં રહેતી પ્રિયંકા ઉર્ફે ભાવનાએ લગ્નના બે મહિના બાદ જ ઝેર પીને આત્મહત્યા કરી લીધી.હવે પોલીસ આ કેસમાં મહિલા સાથે જોડાયેલ લોકોની પૂછપરછ કરી રહી છે.પ્રિયંકાના પતિ સુરેન્દ્ર રાજમહેલ સ્કૂલમાં એલડીસીના પદ પર કામ કરે છે.

આ બનાવ બન્યો તે દિવસે તેઓ નોકરી પર હતા.શાળામાં નોકરી કરતી વખતે તેમને પત્નીની પણ ચિંતા રહેતી.પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે,પતિએ સ્ટાફને પત્નીના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.પ્રિયંકાએ અચાનક જ પોતાના જીવનનો અંત આણ્યો.પિતા નંદ કિશોર વ્યાસે જણાવ્યું હતું કે તેઓ તેમની પુત્રીની ખબર પૂછવા માટે દરરોજ મેસેજ કરતા હતા.

ત્યારે તે હંમેશા કહેતી,હું તૈયાર છું,પપ્પા…પ્રિયંકાના પિતાએ કહ્યું કે નવા વર્ષે તેને મળવા જવું હતું.પણ અમે થોડા મોડા પડ્યા. 1 જાન્યુઆરીએ બપોરે 12.40 વાગ્યાની આસપાસ પ્રિયંકાનો ફોન આવ્યો,તેણે એકદમ મંદ અવાજે કહ્યું,મારી તબિયત સારી નથી,તમે જલ્દી આવો.અમે ત્યાં ઘરની અંદર ગયા તો દીકરી નીચે પડેલી હતી.તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા.

અનેક પ્રયાસો છતાં તેને બચાવી શક્યા નહોતા. હવે આ રીતે ઝેર પીને મહિલાના મોત પાછળ પોલીસ તપાસ કરી રહી છે.જો કે પ્રિયંકાના લગ્નને બે મહિના જ થયા છે.આ કેસમાં સામે આવ્યું છે કે જોધપુર હાઈકોર્ટ કોલોનીમાં રહેતી પ્રિયંકા ઉર્ફે ભાવનાએ 1 જાન્યુઆરીએ જંતુનાશકનું સેવન કર્યું હતું.