BjpCongressGujarat

મંત્રી જયેશ રાદડિયાએ કહ્યુ: મારા પિતાની સીટ પર મારો જ અધિકાર, હું જ લડીશ, કોંગ્રેસના જયરાજસિંહે કહ્યું લોકશાહી કોઈના બાપની…

ભારતીય જનતા પાર્ટીના નેતા અને મંત્રી જયેશ રાદડિયાએ એક કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું. જામકંડોરણામાં એક સમારોહમાં તેમણે કહ્યું કે, મારા પિતાની ખેતી પર લણવાનો અધિકાર મારો જ છે.મારાપિતાએ 30 વર્ષ સુધી ખેતી કરી છે, આપણા ખેતરમાં કોઈને ઘૂસવા દઈએ?

રાદડિયા એ કહ્યું કે, ભલભલા વાવાઝોડાં વિઠ્ઠલભાઈ સામે શાંત પડી ગયા છે.ગામડામાં આપણે શેઢા પર ઘૂસવા નથી દેતા.આ તો મારા પિતાની વાડી છે. મારાપિતાની સીટ પર હું જ લડીશ. પવન અહીંયાથી ઉપડે કે પછી પોરબંદરથી.

જયેશ રાદડિયા એ કહ્યું કે,પોરબંદરથી પવન ઉપડ્યો હતો શાંત પડી ગયો. જે લોકો રાહ જોતા હોય તેમણે ચિંતા કરવાની જરૂર નથી.રાજકારણમાં હોઈએ એટલે સ્વાભાવિક છે રાજકારણ તો કરીએ જ. સૌરાષ્ટ્રના પાટીદારોમાં જયેશ રાદડીયાના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા ખુબ મોટા નેતા મનાતા હતા. તેમના પુત્ર જયેશ રાદડિયા કહ્યું કે, એમની સીટ પર હું જ લડીશ.

જો કે જયેશ રાદડિયાના નિવેદન અંગે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે,લોકશાહી કોઈના બાપની જાગીર નથી કે ખેતી નથી. જયેશભાઈ કઈ ખેતીના આધારે રાજા થયા? રાજા બનવા માટે પ્રજાની વચ્ચે જવું પડે. ભાજપમાં પરિવારવાદ છે.આ ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈ છે. જયેશ રાદડિયાએ તેમના જ પક્ષને લલકાર ફેંક્યો છે કે આ વિસ્તારમાં તેમના સિવાય કોઈનું નહીં ચાલે.