health

જે લોકોને એસિડિટી થતી હોય તેઓ જમ્યા પછી કરો આ ઉપાય, તરત જ એસિડિટી મટી જશે….

નમસ્કાર મિત્રો,જમ્યા પછી જો તમને એસિડિટી થતી હોય એટ્લે કે પેટમાં બળતરા થતી હોય,છાતીમાં બળતરા થતી હોય,જમ્યા પછી તીખા ઓડકાર આવતા હોય,આ બધા માટે આયુર્વેદમાં ચરકસંહિતાની અંદર ચરક ઋષિએ જે ઉપાય આપ્યો છે એ વિશે જાણીશું.અને આ ઉપાય તમે કરશો તો જમ્યા પછી ગમે તેવી એસિડિટી થઈ હશે તો પણ તમને તાત્કાલિક રાહત થશે.

બીજું કે વધુ ભૂખ લાગે ત્યારે જ ખાઓ અને પેટ ભરીને ન ખાઓ.આવું કરવાથી તમને ગેસ,એસિડિટી કે કબજિયાત પણ નહીં થાય.તો ચાલો જાણીએ.તે લોકોને એસિડિટી થતી હોય તેઓ સૌથી પહેલા 100 ગ્રામ વરિયાળી, 100 ગ્રામ ધાણા અને 100 ગ્રામ જીરું આ ત્રણેયનો પાવડર બનાવી એક ડબ્બામાં ભરી દો.

ત્યારબાદ જમ્યા પછી એક ચમચી આ પાવડર અડધો ગ્લાસ હૂંફાળા પાણીમાં નાખી મિક્સ કરી હલાવી દો,ત્યારબાદ આ પાણી ધીમે-ધીમે પી જાઓ.બીજો ઉપાય જોઈએ તો સૌથી પહેલા ગોળનો નાનો ટુકડો લો, જમ્યા પછી આ ગોળ ધીમે ધીમે ચાવી જાઓ.આ પ્રયોગનો નિયમિત ઉપયોગ કરશો તો એસિડિટીમાં ખૂબ જ રાહત જોવા મળશે.

નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો ડોક્ટરની સલાહ બાદ જ આ ઉપાય અપનાવવો.આ ઉપાયની અસર દરેકને પોતાની પ્રકૃતિ પર જાય છે,આ અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.