નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.
આજે આપણે વાત કરીશું વડોદરા શહેરની, જ્યાં શહેરમાં કાઠિયાવાડી દરબાર રેસ્ટોરન્ટ છે,જ્યાં તમને ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું મળે છે.જો તમે આ રેસ્ટોરન્ટમાં જમવા જશો તો એમ લાગશે કે ગામડાના કોઈ ઘરમાં જમવા બેસ્યા છો એવો અનુભવ થશે.
અહી ૨૯૯ રૂપિયામાં તમે અનલિમિટેડ જમી શકો છો.જેમાં ૨ સ્વીટ, ૨ ફરસાણ, ૪ શાક, રોટી, રોટલા, દાળ-ભાત,છાશ,ગોળ,વઘારેલો રોટલો આ બધુ તમે ભરપેટ જમી શકો છો.
આવી જ એક રેસ્ટોરન્ટ આણંદમાં પણ છે,તે પણ આમની જ છે.તે પણ કાઠિયાવાડી દરબારના નામે જ જાણીતી છે.જો આપણે રેસ્ટોરન્ટના એડ્રેસની વાત કરીએ તો વડોદરામાં માંજલપુર વિસ્તારમાં તુલસી શ્યામ ક્રોસ રોડ નજીક નીલકંઠ બિલ્ડીંગમાં બીજા માળે આ રેસ્ટોરન્ટ આવેલ છે.અને છતાં પણ ન મળે તો ૯૮૨૪૪૧૩૩૨૭ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.
જો તમે વડોદરામાં રહેતા હોવ અથવા વડોદરા બાજુ જાઓ તો કાઠિયાવાડી દરબારમાં જમવા માટે ચોક્કસ જજો.જ્યાં તમને ખરેખર ગામડાના કોઈ ઘરે ખાતા હોય તેવો અનુભવ થશે.અમારા દ્વારા આપવામાં આવેલ આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.