×
Advertisement
IndiaNews

લગ્નની પત્રિકામાં વરરાજાએ છપાવી દીધો હતો ખાસ સંદેશ, પત્રિકા મળી તો ચોંકી ગયા સંબંધીઓ,

દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન સમાપ્ત થઈ ગયું છે,પરંતુ કેટલાક લોકો તેને લઈને એટલા ગરમ થઈ ગયા છે કે તેમના અંગત જીવનમાં પણ ખતરો દેખાઈ રહ્યો છે.હરિયાણાના એક વ્યક્તિ પણ આવા જ છે.જ્યારે તેમના લગ્ન નક્કી થયા ત્યારે તેમણે ખેડૂત આંદોલનમાં પણ ઘૂસણખોરી કરી.

તેમણે પોતાના લગ્ન પત્રિકામાં એ સંદેશ છપાવ્યો કે એકવાર વાંચ્યા પછી જે લોકોને આ પત્રિકા મળી તો એ લોકોને કંઈ સમજાયું નહીં.પરંતુ જ્યારે ધ્યાનથી વાંચ્યું ત્યારે લાગ્યું કે તે ખેડૂતોના આંદોલન સાથે જોડાયેલ છે.હરિયાણાના ભિવાની જિલ્લાના રહેવાસી પ્રદીપ કાલીરામના ૯ ફેબ્રુઆરીએ લગ્ન છે.તેમણે ૧,૫૦૦ લગ્નની પત્રિકા છપાવી છે.

લગ્ન પત્રિકા પર તેમણે લખ્યું હતું કે ‘લડાઈ હજુ ચાલુ છે,MSP નો વારો’છે.આ ઉપરાંત લગ્ન પત્રિકા પર ટ્રેક્ટરનો ફોટો અને ‘નો ફાર્મર્સ, નો ફૂડ’ દર્શાવતી નિશાની પણ પ્રદર્શિત કરવામાં આવી છે.વરરાજા પ્રદીપે કહ્યું,’હું મારા લગ્ન પત્રિકા દ્વારા સંદેશ આપવા માંગુ છું કે ખેડૂતોના વિરોધની જીત હજુ પૂર્ણ નથી થઈ.

ખેડૂતોની જીત ત્યારે જ જાહેર થશે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને એમએસપી કાયદા હેઠળ ગેરંટી આપતો કાયદો લેખિતમાં આપે.MSP પર કાયદા વિના ખેડૂતો પાસે કંઈ નથી અને ખેડૂતોની શહાદત અને તેમના બલિદાન પણ ત્યારે જ પૂરા થશે જ્યારે MSP પર કાયદાકીય ગેરંટી હશે.

વધુમાં કહ્યું,’ખેડૂતોના વિરોધ દરમિયાન,હું દિલ્હીની સરહદો પર ગયો અને વિવિધ વિરોધ સ્થળોએ બેઠેલા અન્ય ખેડૂતોને મારો ટેકો આપ્યો.આ જ કારણ છે કે મને MSP પર કાયદાકીય ગેરંટીની માંગ કરતા ૧,૫૦૦ લગ્ન પત્રિકા છપાવી.