Auto

આ કારમાં ગડબડ સામે આવતા મારુતિએ ગ્રાહકોને કહ્યું “ન ચલાવતા કાર”, બધી જ કાર રીટર્ન લેશે

જો તમે પણ તાજેતરમાં મારુતિ કાર ખરીદી છે, તો તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. કંપનીની 17000થી વધુ કાર ખામીયુક્ત હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે કંપની કારને રિકોલ કરી રહી છે. આ કારોમાં કંપનીની ફેમસ કાર જેવી કે અલ્ટો, બ્રેઝાથી લઈને તાજેતરમાં લોન્ચ થયેલી ગ્રાન્ડ વિટારાનો સમાવેશ થાય છે.

મારુતિએ ગ્રાહકોને અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે શંકાસ્પદ વાહનોના ગ્રાહકોને જ્યાં સુધી અસરગ્રસ્ત ભાગ બદલવામાં ન આવે ત્યાં સુધી વાહન ન ચલાવવા સલાહ આપવામાં આવે છે. કંપનીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વાહન માલિકોને તાત્કાલિક ધ્યાન આપવા માટે મારુતિ સુઝુકી અધિકૃત વર્કશોપમાંથી માહિતી પ્રાપ્ત થશે.

મારુતિ સુઝુકી ઈન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે તે ખામીયુક્ત એરબેગ કંટ્રોલરનું પરીક્ષણ કરવા અને તેને બદલવા માટે અલ્ટો K10, બ્રેઝા અને બલેનો જેવા મોડલના 17,362 યુનિટને રીટર્ન લેવાની છે. દેશની સૌથી મોટી કાર નિર્માતાએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે અસરગ્રસ્ત મોડલ અલ્ટો K10, S-Presso, Eeco, Brezza, Baleno અને Grand Vitara છે, જેનું ઉત્પાદન 8 ડિસેમ્બર, 2022 અને જાન્યુઆરી 12, 2023 વચ્ચે કરવામાં આવ્યું હતું.

જો જરૂરી હોય તો, એરબેગ કંટ્રોલરને વિના મૂલ્યે તપાસવા અને બદલવા માટે આ વાહનોને પાછા બોલાવવામાં આવી રહ્યા છે. ઓટો પ્રમુખે કહ્યું કે અસરગ્રસ્ત ભાગમાં સંભવિત ખામી હોવાની શંકા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે