Gujarat

જુનાગઢ: રાજ ભારતી બાપુએ લમણામાં ગોળી મારી આપઘાત કરી લીધો

જૂનાગઢથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો છે. તાજેતરમાં જ રાજ ભારતીબાપુ દારૂ પીતા હોવાનો વીડિયો અને ઓડિયો વાયરલ થયા હતા તેના લીધે આપઘાત કર્યો હોવાનું કહેવાય રહ્યું છે.

બાપુએ તેમના ગામમાં વાડીમાં ગોળી મારીને આપઘાત કર્યો હતો. પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી ગોળી મારતા જ લોહીલુહાણ તહી ગયા હતા અને ગંભીર હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જોકે તેમનું મોત થયું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જણાવી દઈએ કે તાજેતરમાં જ રાજ ભારતીબાપુના ઓડિયો વાયરલ થયા હતા. જેમાં બાપુ કેટલીક મહિલાને વોઇસ મેસેજમાં પ્રેમ ની વાતો કરતા હતા.અન્ય એક વિડીયોમાં તેઓ દારુ સાથે જોવા મળ્યા હતા અને સીગારેટ પીતાની ત સવીર પણ સામે આવી હતી.બાદમાં સાધુ સંતો અને ભક્તોમાં પણ રોષ ની લાગણી હતી. જેના કારણે ડિપ્રેશનમાં રાજભારતીબાપુએ આપઘાત કર્યો હોય તેવું કહેવાઈ રહ્યું છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે