Astrology

2022 સમાપ્ત પહેલા જ દુઃખોનો સામનો કરશે આ રાશિ, શુક્ર ગોચર વધારશે મુસીબત

ગ્રહોનું ગોચર હંમેશા શુભ અથવા અશુભ ફળ આપે છે શુક્ર ગ્રહને સુખનો દેવતા કહેવામાં આવે છે અને તે જ્યારે ગોચર કરે છે,ત્યારે જાતકોને લાભ આપે છે પરંતુ વર્ષના અંતમાં જે શુક્રકોચર થઈ રહ્યો છે તે લાભની જગ્યાએ મુશ્કેલી વધારનાર છે. આ શુક્ર 29 ડિસેમ્બર 2022 એ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને અહીં શનિદેવ પહેલાથી જ બિરાજીત છે. આમ તો તે 17 જાન્યુઆરી 2023 એ કુંભ રાશિમાં ગોચર કરશે પરંતુ 29 ડિસેમ્બર 2022 એ ચાર રાશિના જાતકોને વધુ સાવધાન રહેવું પડશે.

કન્યા રાશિ:શુક્રનું મકર રાશિમાં ગોચર કરવાથી કન્યા રાશિના જાતકોમાં મુસીબત વધશે. તમારા શત્રુ તમને નીચું જોવડાવાની કોશિશ કરશે. તમારા પોતાના જ તમને નુકસાન કરાવી શકે છે, યાત્રા કરતી દરમિયાન સાવધાની રાખવાની જરૂર છે,બની શકે તો લાંબી યાત્રા ઉપર જવું નહીં સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે તેમજ ખાણીપીણી ઉપર વિશેષ ધ્યાન રાખવું પડશે, રૂપિયાને લઈને ખર્ચો વધી શકે છે, તમારા થઈ ગયેલા કામ બગડી શકે છે,તમારી વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે.

તુલા રાશિ:વર્ષનો અંતિમ શુક્ર ગોચર તુલા રાશિ માટે પણ અશુભ હશે. તેમના ખરાબ દિવસો શરૂ થઈ જશે ક્યાંય પણ રૂપિયા રોકાણ કરવાથી દૂર રહો, નવું મકાન અને વાહન પણ અમુક દિવસો સુધી ન ખરીદો કચેરીના મામલામાં તમે ઉલજી શકો છો પ્રોપર્ટીથી જોડાયેલા મામલામાં સમસ્યા આવી શકે છે, રૂપિયા હાથમાંથી જઈ શકે છે, ચોરીનો જોખમ છે. તમારા સંબંધ તૂટી શકે છે, પોતાના ગુસ્સા ઉપર કાબુ નહીં રાખો તો પસ્તાવું પડશે, યાત્રા કરવાથી દૂર રહેવું જોઈએ સ્વાસ્થ્ય બગડી શકે છે.

મકર રાશિ:શુક્રનું ગોચર મકર રાશી ના જાતકો માટે દુર્ભાગ્ય લઈને આવશે, કિસ્મત તેમનો સાથ દેવાનો બંધ કરી દેશે,અને તે કોઈપણ કામ હાથમાં લેશે તે અસફળ થઈ જશે તેથી જ અમુક દિવસ સુધી નવા કામની શરૂઆત ન કરવી જોઈએ, નોકરી અને બિઝનેસમાં તકલીફનો સામનો કરવો પડી શકે છે, કોઈ મિત્ર તમારી પીઠ પાછળ તમને દગો આપી શકે છે. તમને તમારા પોતાનાથી મળનાર દગા વિશે સાવધ રહેવું જોઈએ. કોઈના ઉપર આંખ બંધ કરીને ભરોસો કરવો જોઈએ નહીં, અને રૂપિયાને સાચવીને રાખવાના છે.

મીન રાશિ:શુક્ર ગોચર મીન રાશિ ના જાતકો માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તમને વધુ મહેનત કર્યા પછી પણ સફળતા મળશે નહીં, વિદ્યાર્થીઓ માટે આ સમય સારો નથી વિવાહમાં બાધા આવી શકે છે અમુક દિવસ ઘરમાં માંગલિક કાર્યથી દૂર રહેવું જોઈએ, માતા-પિતા ભાઈ બહેનમાં મન મોટાવ થઈ શકે છે, પેટથી જોડાયેલા રોગ તકલીફ આપી શકે છે, રૂપિયા હાથમાંથી જતા રહેશે અને રૂપિયા કમાવાનું સાધન પણ ઓછું થઈ જશે, શત્રુ તમને નુકસાન પહોંચાડી શકે છે અને તમને તમારા ધંધામાં નુકસાન થઈ શકે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે