CrimeGujaratIndiaNewsSurat

સુરત ગ્રીષ્મા વેકરીયા મર્ડર કેસમાં સામે આવી નવી વિગતો,બંને પરિવાર વચ્ચે થઇ હતી આવી સમજૂતી, જાણો આ સમગ્ર ઘટના,

સુરત જિલ્લાના કામરેજ ખાતે ગત શનિવારના રોજ મોડી સાંજે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં ૨૧ વર્ષીય યુવતીને છરીના ઘા મારી હત્યા કરી હતી.જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.આ ઘટના અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મૃતક ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ હીરાનું કામ કરે છે,જેઓ છેલ્લા ૮ મહિનાથી સાઉથ આફ્રિકા હતા,તેઓ આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા.આજે સવારે ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી.તપાસ દરમિયાન એ પણ સામે આવું છે કે,હત્યા કરનાર ૨૨ વર્ષીય ફેનિલ અને ગ્રીષ્માના પરિવાર વચ્ચે ૭ વાર સમાધાન થયું હતું.

છેલ્લા કેટલાક સમયથી આરોપી ફેનિલ ગ્રીષ્માનો પીછો કરી રહ્યો હતો,થોડા દિવસ પહેલા ગ્રીષ્માના મોટા પપ્પાએ ફેનિલને ધમકાવ્યો હતો.૨ દિવસ અગાઉ ગ્રીષ્માના મોટા પપ્પાએ ફરી ઠપકો આપ્યો તો તેમના પર છરીથી હુમલો કર્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર,ફેનિલ થોડા દિવસ પહેલા ગ્રીષ્માના ઘરે ગયો હતો જ્યાં તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો થયો હતો.

માહિતી અનુસાર જણાવીએ તો ફેનિલ છેલ્લા ૧ વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતો હતો.આ અંગે સમગ્ર ગુજરાત રોષે ભરાયું છે,હત્યા કરનાર ફેનિલને કડક સજા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.