સુરેન્દ્રનગર : દર્દીને લઇ જઈ રહેલી એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડતા સર્જાયો ભયંકર અકસ્માત, ત્રણના મોત
![](/wp-content/uploads/2024/03/Surendranagar-A-terrible-accident-occurred-when-an-ambulance-carrying-a-patient-collided-with-a-truck-three-died.jpg)
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ચોટીલા – રાજકોટ હાઇવે પર આપા-ગીગાના ઓટલા પાસે ટ્રક પાછળ એમ્બ્યુલન્સ અથડતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એમ્બ્યુલન્સમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે ચોટીલાથી દર્દીને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. તેમ છતાં જે દર્દીને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો તે દર્દી બચી ગયો અને સાથે રહેલા ત્રણ લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે.
જ્યારે આ અકસ્માતની વાત કરીએ તો આ અકસ્માત એટલો ભયંકર હતો કે, એમ્બ્યુલન્સનો કુચ્ચો થઈ ગયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતમાં દર્દીની સાથે રહેલા વિજયભાઈ બાવળિયા, પાયલ બેન મકવાણા અને ગીતાબેન મિયાત્રાનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું છે. અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આ મામલામાં તપાસ શરુ કરી હતી.