GujaratSaurashtraSurendranagar

સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળા દિવસે છરીના આડેધડ ઘા ઝીંકી યુવકની હત્યા

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. એવામાં આજે સુરેન્દ્રનગરથી આવી જ એક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં છરી ઘા મારીને એક યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા મારી એક યુતા કરવામાં આવી છે. જ્યારે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. આ વિડીયો બે દિવસ પહેલાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ મામલામાં જાણકારી સામે આવી છે કે, પ્રેમ સબંઘમાં સમાઘાનમાં મારમારી થઈ ગઈ હતી. ત્યાર બાદ યુવકને છરીના ઘા મારવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે. આ અગાઉ સુરેન્દ્રગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામમાં જમીન બાબતમાં બે સગાભાઈની હત્યા કરવાની ઘટના સામે આવી હતી. આ સિવાય પાટડીના વડગામમાં 19 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો હતો. જ્યારે હવે સુરેન્દ્રનગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ યુવકની હત્યા કરવામાં આવી છે. છે.