BollywoodIndiaStory

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરિયલમાં મોટો વળાંક, હવે દયાબેનનાં માતા એન્ટ્રી કરશે

તારક મહેતાના દર્શકો દયાબેન ના પાછા ફરવાની રાહ જોઈ રહયા છે ત્યારે જ સીરિયલમાં એક મોટો વળાંક આવશે. એવા અહેવાલો છે કે દયાબેન નહીં પણ તેમની માતા શોમાં પ્રવેશી શકે છે. તમને જણાવી દઈએ કે, દયાબેન (દિશા વાકાણી) સપ્ટેમ્બર 2017 થી આ શોમાં હાજર નથી.

આગામી એપિસોડમાં તે બતાવવામાં આવશે કે જેઠાલાલના પિતા ચંપક લાલ ઘણા સમયથી ગુમ હતા. જેઠાલાલ તેના પિતાની શોધમાં કંટાળી ગયો છે. તેઓ અસહાય અનુભવે છે. ચંપકલાલ પાસે ચશ્માં પણ નથી, તેથી જેઠાલાલ વધુ ચિંતિત છે. તે જ સમયે, ચંપકલાલ ને દેખાવાનું બંધ થઈ ગયું છે. જ્યારે તેઓ મદદ માંગે છે ત્યારે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

દરમિયાન એક માણસ ચંપકલાલને મદદ કરે છે, તે ગોકુલધામ સોસાયટીનું સરનામું જાણે છે. પરંતુ તે વ્યક્તિ ને ઓછું સંભળાય છે. તે ભૂલથી ચંપકલાલને થાણેની ગોકુલધામ સોસાયટી માટે બસમાં બેસાડે છે.દરમિયાન જેઠાલાલ અને સોસાયટીના અન્ય સભ્યો પોલીસ સ્ટેશનમાં ચંપકલાલના ગુમ થયાની ફરિયાદ માટે ગયા છે. આ સમય દરમિયાન જેઠાલાલ તેની સાસુને બોલાવે છે અને પિતાને શોધવાની સલાહ માંગે છે. દયાબેનની માતા તેના જમાઈ જેઠાલાલને મદદ કરે છે. હવે જોવાનું એ રહેશે કે નિર્માતાઓ દયાબેનની માતાનો ચહેરો બતાવે છે કે દરેક વખતે તેમનો અવાજ બેકગ્રાઉન્ડમાં સંભળાય છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે