SaurashtraGujaratSurendranagar

સુરેન્દ્રનગરમાં સર્જાયો ભયાનક અકસ્માત : વીજ વાયર અડી જતા ટ્રેક્ટરમાં બેઠેલા ત્રણ  મજૂરો ને મળ્યું મોત, છ ગંભીર રીતે દાઝ્યા

સુરેન્દ્રનગર ના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેકટરની ટ્રોલીને વીજવાયર અડી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી  છે. આ ઘટનામાં ત્રણ મજૂરો જીવતા ભડથું થઈ ગયા હતા. જ્યારે  અન્ય 6 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યાર બાદ ગંભીર રીતે દાઝી ગયેલા મજૂરો ને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં અન્ય છ મજૂરોને પણ જોરદાર ઝટકો વાગ્યો હતો તેના લીધે તે પણ દાઝી ગયા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવાની સાથે આ મામલામાં તપાસ હાથ શરૂ કરી હતી. બીજી તરફ  મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને વિરમગામ ખાતે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તેની સાથે આ તમામ મજૂરો મધ્યપ્રદેશના હોવાની જાણકારી સામે આવી છે. જેમાં પ્રાથમિક તપાસમાં ટ્રેક્ટર ની ટ્રોલી સાથે ચાલુ વીજ વાયર અડી જવાના લીધે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં છ મજૂરોને સારવાર માટે પાટડી ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. તેમ ત્રણ મજૂરો ની હાલત ગંભીર હોવાના લીધે સુરેન્દ્રનગર ની સી.યુ શાહ મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.