VadodaraGujarat

વડોદરા દુર્ઘટનામાં બચી ગયેલ શિક્ષિકા દિવ્યાબેને જણાવી પોતાની વેદના…..

વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટ પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલના બાળકો રહેલા હતા. જ્યાંરે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે  બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા. એવામાં વડોદરાના હરણી તળાવમાં બાળકો ડૂબી જવા મામલે ન્યુ સનરાઈઝ સ્કૂલના ડ્રોઈંગ શિક્ષિકા દિવ્યાબેન છજાણી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

વડોદરા હરણી તળાવ દુર્ઘટના મામલે સ્કૂલના ડ્રોઈંગ શિક્ષિકા દિવ્યાબેન છજાણી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મેં મારી આંખો સામે બોટ પલટી ખાતી અને બાળકોને પાણીમાં ડૂબતા જોયા હતા. જ્યારે બોટના બે રાઉન્ડ થઈ ગયા હતા. આ બંને રાઉન્ડમાં બોટ ચલાવનાર ક્ષમતા કરતા વધુ સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવ્યા નહોતા. ત્રીજા રાઉન્ડમાં ચાર શિક્ષકોને અને 23 બાળકોને બેસાડવામાં આવ્યા હતા.

દિવ્યાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ પૈકીના લગભગ પંદર બાળકોને બોટના સંચાલકો દ્વારા લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. બોટ ઓવરક્રાઉડ થઈ રહી હોવાનુ જોઈને મેં અને બીજા શિક્ષકોએ તેમને આટલા બધા બાળકોને બેસાડવાની ના પાડી દીધી હતી. પરંતુ બોટ ચલાવનાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તમે ચિંતા કરશો નહીં અમારા માટે આ રોજનુ રહેલ છે. ત્યાર બાદ તેણે બોટનુ એન્જિન સ્ટાર્ટ પણ કરી દીધી હતુ અને બોટ પાણીમાં આગળ વધી પણ ગઈ હતી. અમારા ના કહેવા પર પણ બોટવાળા માન્યા નહોતા. હું અને બીજા એક શિક્ષક સામા કિનારા પર જ રહેલા હતા અને બોટ જ્યારે કિનારા પર પહોંચવાની તૈયારીમાં હતી તે સમયે અચાનક પલટી ખાઈ લીધી હતી. હું અને બીજા શિક્ષકો તે કિનારા તરફ દોડયા હતા અને 108 તેમજ ફાયર બ્રિગેડને ફોન કરવાની સાથે સાથે બૂમો પાડીને સ્થાનિક લોકોને બોલાવ્યા હતા. અમારા દ્વારા એકઠા થઈને 10 જેટલા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે આશ્ચર્યચકિત આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બોટ જ્યારે પલટી ખાઈ રહી હતી તે દરમિયાન બોટ ચલાવનારે પહેલા જ પાણીમાં કુદકો મારી લીધો હતો.

દિવ્યાબેન દ્વારા એ જણાવવામાં આવ્યું કે, મારી સાથેના જે શિક્ષકો બચી ગયા છે તે બહુ આઘાતમાં રહેલા છે. તેઓ કશું બોલવાની સ્થિતિમાં રહેલ નથી. આ હોનારતમાં મૃત્યુ પામેલા મારા સાથી શિક્ષિકા ફાલ્ગુનીબેને બોટમાં બેસતા પહેલા તેમની સાથેના સાત બાળકોને મને સોંપવામાં આવ્યા હતા અને તેમના છેલ્લા શબ્દો હતા કે, દિવ્યાબેન આ સાત બાળકોને તમે સાચવજો.