Gujarat

ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતમાં થયો બદલાવ, હવે કચ્છની સાથે ગાંધીનગરમાં પણ રોકાશે, જાણો પૂરી વિગત…

કેન્દ્રીય ગૃહમંત્રી એટલે કે અમિત શાહ 13 અને 14 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવવાના પાક્કા સમાચાર છે. અગાઉ ગૃહમંત્રી 12મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવવાના હતા. ગૃહમંત્રી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન કચ્છની મુલાકાત લેશે. ત્યાં તે સરક્રીક બોર્ડરની મુલાકાત લઈ શકશે. આ સિવાય તેઓ ભારતીય સીમા સુરક્ષા દળ (BSF)ના કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેમના પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી કચ્છના કોટેશ્વર ખાતે મહાદેવ મંદિરે જઈને પ્રાર્થના કરશે. શરૂઆતમાં ગૃહમંત્રીની મુલાકાત 12 ઓગસ્ટે પ્રસ્તાવિત કરવામાં આવી હતી. હવે આ પ્રવાસ બે દિવસનો હશે. ગૃહમંત્રી તેમની બે દિવસીય ખાસ મુલાકાત વખતે ગાંધીનગરમાં કાર્યક્રમોમાં મોટો ભાગ લેશે.

ગૃહમંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે કચ્છ પહોંચશે અને BSF સાથે કોટેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરશે અને ત્યાંના સ્થાનિક અધિકારીઓને મળશે. તેઓ ભુજ જેલની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. ગૃહમંત્રીનો અંતિમ કાર્યક્રમ હજુ જાહેર થયો નથી, પરંતુ નવા કાર્યક્રમના ભાગરૂપે તેઓ એક દિવસ માટે કચ્છની મુલાકાતે આવશે અને મોડી સાંજ સુધીમાં ગાંધીનગર પરત ફરશે. આ પછી બીજા દિવસે મહાત્મા મંદિરમાં આયોજિત શિક્ષક યુનિવર્સિટીના કાર્યક્રમમાં ગૃહમંત્રી ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસામાં શિલાન્યાસ અને વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. માણસા ગૃહમંત્રીનો પોતાનો ગૃહ મતવિસ્તાર છે, જેમાં તે એક મોટા મહેમાન તરીકે જોવા મળશે અને તેના ભાગ રૂપે જોવા મળશે.

ગુજરાત ભાજપમાં ગત દિવસોમાં જે રીતે પેમ્ફલેટ કાંડ અને રાજ્યના મોટા નેતાઓ સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપોના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારથી તેમને ગૃહમંત્રી તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. આવા સમયમાં જ્યારે ગૃહમંત્રીની મુલાકાત બે દિવસની થઈ ગઈ છે. તો ગૃહમંત્રી પક્ષના નેતાઓ સાથે સરકાર અને સંગઠન અંગે પણ ચર્ચા કરી શકે છે. આ દરમિયાન કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે તેવી ચર્ચા છે. આવા અવનવા ગુજરાતના સમાચાર જાણવા માટે અમારા પેજને ફોલોવ કરો અને જાણો અવનવી વાતો.