Astrology

વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ, મંગળવારે કરો આ કામ

આજે વાસ્તુશાસ્ત્રમાં દેવાથી બચવાના ઉપાય વિશે જાણીએ. કેટલીક મજબૂરીના કારણે ઘણી વખત લોન લેવી પડે છે. આપણે લોન લઈએ છીએ પરંતુ તેને ચૂકવવામાં અસમર્થ થઇ જતા હોઈએ છીએ. તમે ગમે તેટલી મહેનત કરો તો પણ ચૂકવવાનું બાકી જ રહે છે.

જો તમારા પર દેવું છે અને તમે તેને ઘણા દિવસો પછી પણ ચૂકવી શકતા નથી, તો તમારે નિયમિતપણે દાળનું દાન કરવું જોઈએ.લોનના હપ્તા ચૂકવવા માટે હંમેશા મંગળવાર પસંદ કરવો જોઈએ. આ દિવસે કોઈનું ધન પાછું આપવાથી ઋણ ઝડપથી ચૂકવાઈ જાય છે. મંગળવારે હનુમાન મંદિરમાં જઈને પૂજા કરો અને આ દિવસે નારિયેળનું દાન કરો.

ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં બનેલો વૉશરૂમ પણ વ્યક્તિ પર દેવાનો બોજ વધારી શકે છે. એટલા માટે ઘરની આ દિશામાં વોશરૂમ ન બનાવવો.આ સિવાય ઘર કે દુકાનની ઉત્તર-પૂર્વ દિશામાં કાચ લગાવવો દેવુંમાંથી મુક્તિ મેળવવા માટે સારું માનવામાં આવે છે, પરંતુ કાચની ફ્રેમ લાલ કે મરૂન ન હોવી જોઈએ. ઉપરાંત ગ્લાસ જેટલો હળવો અને મોટો હશે, તે તમારા માટે વધુ ફાયદાકારક રહેશે.

તમારા ઘરના મુખ્ય દ્વાર પર લીલા રંગના ગણપતિની 2 મૂર્તિઓ મૂકો. આ મૂર્તિને એવી રીતે મૂકો કે બંને મૂર્તિઓની પીઠ એકબીજાની તરફ હોય. ધ્યાનમાં રાખો કે ગણેશજી પાછળની બાજુથી ન દેખાય.વાસ્તુ અનુસાર ઘર કે દુકાનની ઉત્તર-પશ્ચિમ દિવાલ પર અરીસો લગાવવો જોઈએ. આ દેવાના બોજમાંથી મુક્તિ આપે છે. ઋણમાંથી મુક્તિ મેળવવા માટે તમારા ઘર કે દુકાનની ઉત્તર દિશામાં તિજોરી રાખો.