IndiaPakistanSport

ઈન્ડિયા-પાકિસ્તાન મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે આ મોટા સમાચાર આવ્યા

ટીમ ઈન્ડિયાને આજે અફઘાનિસ્તાન સામે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ આ મેચમાં રમતા જોવા મળશે નહીં. શુભમન ગિલ હાલમાં ડેન્ગ્યુ સામે ઝઝૂમી રહ્યો છે. અફઘાનિસ્તાન બાદ ટીમ ઈન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરવાનો છે. આ મેચ પહેલા શુભમન ગિલની વાપસી પર એક મોટું અપડેટ સામે આવ્યું છે.

શુભમન ગિલ હાલમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. પ્લેટલેટની સંખ્યા ઓછી હોવાને કારણે તેમને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ માનવામાં આવે છે કે હવે તે જલ્દી જ કમબેક કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગિલ અમદાવાદમાં ભારતીય ટીમ સાથે જોડાશે. આવી સ્થિતિમાં તે પાકિસ્તાન સામેની મેચમાં રમે તેવી સંભાવના છે. પરંતુ ગિલ માટે સૌથી મોટો પડકાર મેચમાં ફિટ રહેવાનો રહેશે. જો કે પાકિસ્તાન સામેની મેચમાં તે રમે તેવી શક્યતા છે.

વિક્રમ રાઠોડે આપ્યું આ મોટું નિવેદન:

ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે ભારત-અફઘાનિસ્તાન મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન જ્યારે ગિલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાઠોડએ કહ્યું કે તે ચેન્નાઈમાં બીમારીમાંથી સાજો થઈ રહ્યો છે. તેણે કહ્યું કે તે બીમારીમાંથી સાજો થઈ રહ્યો છે. સાવચેતીના પગલા તરીકે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે હોટેલમાં પાછો ફર્યો છે. તે મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ છે. અમને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને ટીમમાં સામેલ થઈ જશે.

શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 35 વનડે મેચ રમી ચૂક્યો છે. આ મેચોમાં તેણે 66.10ની એવરેજથી 1917 રન બનાવ્યા છે. તેણે વનડેમાં બેવડી સદી પણ ફટકારી છે. શુભમન ગીલે આ વર્ષે વનડેમાં 72.35ની એવરેજ અને 105.03ની સ્ટ્રાઈક રેટથી 1,230 રન બનાવ્યા છે. તે આ વર્ષે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેની છેલ્લી ચાર વનડે મેચોમાં તેણે બે સદી અને એક અડધી સદી ફટકારી છે, જેમાંથી બે ઓસ્ટ્રેલિયા સામે હતી.