GujaratNorth Gujarat

થરાદ-ધાનેરા હાઈવે પર સ્કોર્પિયો ગાડી પલટી ખાતા ત્રણ ના મોત, ત્રણ ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત બનાસકાંઠાના ધાનેરાથી સામે આવ્યો છે.

બનાસકાંઠાના ધાનેરામાં કાર અકસ્માતમાં 3 નાં મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. દુકાનોના શેડ તોડીને જીપે પલટી ખાધી હતી. તેની સાથે જીપનો કોઈ પીછો કરતું હોવાના લીધે જીપ સ્પીડમાં ચાલતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમનો કાફલો ઘટનાસ્થળ પર તપાસ શરુ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ધાનેરા થરાદ હાઇવે પર સવારના ચાર વાગ્યાનો સમયગાળાએ સ્કોરપિયો કારે પલટી ખાધી હતી. ગાડી પલટી ખાઈ જતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકોએ ભારે ઈજા પહોંચી હતી.

ઘટનાને જાણકારી સામે આવી છે કે, ફૂલ ઝડપે આવી રહેલ સ્કોરપિયો ગાડીએ ત્રણ દુકાનોના સેડ અને એક દુકાનનું શટર તોડી ડિવાઈડર સાથે ટકરાઈ હતી. સ્કોરપિયો ગાડીનો કોઈ ગાડી દ્વારા પીછો કરવામાં આવતો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. તેની સાથે ચોરા પરબડીથી ગાડીનો પીછો કરતા સમયે ધાનેરા હાઇવે પર ગાડીએ પલટી ખાધી હતી. જ્યારે આ મામલામાં પોલીસ દ્વારા હાલ તપાસ શરુ કરવામાં આવ્યું છે. મૃતકો પમરું ગામના હોવાની જાણકારી સામે આવી છે.