GujaratSaurashtra

મોરબીના હળવદમાં રાહદારીઓને ટ્રક ચાલકે અડફેટમાં લેતા બે સગીરાના મોત, બે ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત મોરબીથી સામે આવ્યો છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રણજીતગઢ નજીક ટ્રક દ્વારા રોડ સાઈડમાં ઉભેલા ત્રણ લોકોને અડફેટે લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં બે સગીરાના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ મૃતકોના પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

મોરબી જિલ્લામાં સર્જાયેલા અકસ્માતમાં બે સગીરાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.  હળવદ તાલુકામાં રણજીતગઢ નજીક રોડની સાઈડમાં બે સગીરા સહીત ત્રણ લોકોને ટ્રક દ્વારા અડફેટે લેવામાં આવ્યા હતા. આ ટક્કર એટલી ભયંકર હતી કે, બે સગીરાના ઘટનાસ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે ટ્રક ચાલક સહિત બે વ્યક્તિ ઓ ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની જાણ થતા હળવદ તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.