ખંડણીખોર વસીમની નવસારીમાં ગોળી મારીને કરાઈ હત્યા
ખંડણીખોર વસિમનું નામ સાંભળતા જ બિલ્ડરોમાં ખૌફનો માહોલ જોવા મળતો હતો.વસીમ ખંડણીના ગુનામાં સંડોવાયેલો હતો અને તેની હત્યા કરી દેવામાં આવી છે. નવસારીમાં વસીમ બિલ્લા પર કારમાં જ કોઈએ ફાયરિંગ કર્યું અને તેનું ઘટનાસ્થળે મોત થઇ ગયું હતું. મળતી વિગતો મુજબ વસીમ પર પાંચ ગોળીઓ વરસાવવામાં આવી હતી.પોલીસ ચોપડે ગુનેગાર વસીમની હત્યા મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે.
તડીપાર કરાયેલ વસીમ ની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.બુધવારે રાત્રે તે રોડ પરથી જઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા અજાણ્યા શખ્શોએ તેના પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
વસીમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે હત્યા મામલે ફરાર આરોપીઓને શોધવા કાર્યવાહી શરુ કરી છે. સીસીટીવી ફુટેજની મદદથી આરોપીને શોધવા તજવીજ હાથ ધરાઈ છે.તાજેતરમાં દાઉદી વ્હોરા સમાજના અગ્રણીને વસીમે ધમકી આપી હતી. વસીમ બિલ્લાના ઘણા દુશમનો હતા.