પ્રેમિકાના પરિવારજનોએ લગ્ન માટે ના પાડતા પ્રેમી યુવકે યુવતીના ઘરની બહાર જ ઝેરી દવા ઘટઘટાવીને કર્યો આપઘાત
![](/wp-content/uploads/2023/08/Young-lover-apghat-by-ingesting-poison-outside-the-girls-house-as-the-girlfriends-family-refused-to-marry-her.jpg)
પ્રેમ સબંધમાં ઘણી વખત યુવાનો પ્રેમ ના મળતા આપઘાત પણ કરી લેતા હોય છે. ત્યારે આવું જ કંઈક ભાવનગરમાં સામે આવ્યું છે. જ્યાં યુવક અને યુવતીએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા અને પછી યુવતીના પરિવારજનોએ સમાધાન કરીને દસ દિવસમાં લગ્ન કરી આપીશું એમ કહીને યુવતીને લઈ ગયા હતા. બાદમાં યુવતીના ઘરના લોકો પોતાની વાત પરથી ફરી જતા યુવકે આપઘાત કરી લીધો હતો. યુવકે આપઘાત કરતા પહેલા પોતાનો એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે તેના આપઘાત પાછળ બે-ત્રણ લોકોને જવાબદાર ગણાવ્યા હતા. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના અધેલાઈ ખાતે વસવાટ કરતા રોશન દિનેશભાઈ તલાવીયા નામના એક યુવક અને ગામની એક યુવતી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતાં હે બાદ થઈ ગયો હતો. જે પછી યુવતી તેના ઘરેથી ભાગીને રોશનના ઘરે રહેવા માટે જતી રહી હતી. જેથી યુવતીના પરિવારજનોએ બાદમાં સમાધાન કર્યું અને તેમના લગ્ન કરાવી આપવાની બાંહેધરી આપીને યુવતીને પાછા પોતાના ઘરે લઈ ગયા હતા. જોકે, યુવતીના પરિવાજનો પાછળથી પોતાની વાત પરથી ફરી ગયા અને તે બંનેના લગ્ન કરાવવાનો ઇનકાર કર્યો હતો.
નોંધનીય છે કે, યુવતીના પરિવારજનોએ લગ્ન કરવાની ના પાડતા રોશન તૂટી ગયો હતો. અને બાદમાં તેણે યુવતીના ઘર આગળ જઈને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. રોશને આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે તેના આપઘાત કરવા માટે બે ત્રણ લોકોને જવાબદાર ગણાવ્યા હતા. ત્યારે હાલ તો આ સમગ્ર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.