Gujarat

માં મોગલનો પરચો મળતા એક વ્યક્તિ લાખ રૂપિયા લઈને માં મોગલના ધામે પહોંચ્યો

માં મોગલના પરચા અપરંપાર રહેલ છે, માં મોગલનું નામ લેવાથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જાય છે. લોકો વિદેશોથી માં મોગલની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. લોકોના નાનાથી નાના અને મોટાથી મોટા કામો પણ પૂર્ણ થઇ જાય છે. એવામાં આજે એક યુવક પોતાની માનતા પૂર્ણ થતા એક લાખ અને એકસો ૧૧ રૂપિયા લઈને માં મોગલના ધામ કબરાઉ આવી પહોંચ્યો હતો.

ત્યાં તેને મણિધર બાપુના હાથમાં તે બધા જ રૂપિયા આપી દીધા અને જણાવ્યું કે, હું માં મોગલની માનેલી માનતા પૂર્ણ કરવા માટે આવ્યો છુ. મણીધર બાપુએ યુવકને જણાવ્યું કે, તે શાની માનતા રાખી હતી, તો યુવકે જણાવ્યું કે, મારું એક કામ હતું જે છેલ્લા ઘણા સમયથી પૂરું થઈ રહ્યું નહોતું અને તેની માટે બધા જ લોકો ખુબજ પ્રાર્થના કરી પણ રહ્યા હતા, ત્યારે મેં માં મોગલની માનતા રાખી અને જણાવ્યું કે, હે માં જો મારું આ કામ પૂર્ણ થઈ જશે તો હું તારા મંદિરે આવીને તારા ચરણોમા 1 લાખ રૂપિયા ભેટ સ્વરૂપે આપીશ. માનતા માન્યા ના થોડા જ સમયમાં માં મોગલની કૃપાથી તે યુવકનું જે અધૂરું સપનું પૂર્ણ થઈ ગયું હતું.

તેના લીધે સમગ્ર પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ત્યાર બાદ તરત જ યુવક પોતાની માનતા પુરી કરવા માટે કબરાઉ દોડી આવ્યો અને અહીં આવીને તેમને મણિધર બાપુને આ રૂપિયા આપ્યા હતા. રૂપિયા આપ્યાની સાથે જ મણિધર બાપુએ જણાવ્યું કે, માં મોગલે તારી ૧૫૧ ગણી માનતા સ્વીકારી, આ રૂપિયા તારી બહેન અને દીકરીઓને આપી દેજે અને જ્યારે વધે તે ગૌશાળામાં આપજે.