GujaratAhmedabad

અમદાવાદ: ભાજપ કોર્પોરેટર ની 24 વર્ષીય પુત્રવધુએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો, કારણ પણ ચોંકાવનારુ

Ahmedabad: હાલના સમયમાં રાજ્ય તેમજ દેશભરમાં આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ માં ભાજપ નેતાની પુત્રવધુએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. AMC ના કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્રવધૂ એ પિયરમાં પતિના ત્રાસથી આપઘાત કર્યો છે.

મળતી માહિતી મુજબ સસરાએ પુત્રવધૂને પુત્રની દારૂની પીવાની આદત છોડાવવા બાધા રાખવાનું કહ્યું હતું ને એ વાતનું પુત્રવધુ ને લાગી આવ્યું હતું. બાદમાં તેણીએ પિતાના ઘરે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું.સરખેજ પોલીસે કોર્પોરેટરના પુત્ર વિરુદ્ધ ફરિયદ નોંધીને તપાસ હાથ ધરી છે.

શૈલેષ પરમારની 24 વર્ષની દીકરી જાનવીના 30 જાન્યુરીએ 2023ના રોજ જોધપુર વોર્ડના કોર્પોરેટર અરવિંદ પરમારના દીકરા જય પરમાર સાથે લગ્ન થયા હતા અને પરિવાર વેજલપુરમાં રહેતો હતો. જય સાણંદ અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરે છે. મળતી વિગતો મુજબ જયને દારૂ પીવાની આદત હતી જેના લીધે પત્ની સાથે ઝઘડાઓ પણ થતા હતા.

18 માર્ચે જાનવી પિયર જતી રહી હતી અને તેના પિતાને સમગ્ર વાત કહી હતી. પિતાએ દીકરી જાનવીને સમજાવી હતી.22 માર્ચે જય જાનવીને ઘરે ગયો હતો અને ત્યાંથી બંને સાળંગપુર ગયા હતા. બીજા દિવસે જાનવીએ તેના પિતાને જણાવ્યું હતું કે સસરાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે જય ખુબ દારુ પીવે છે તેને બાધા લેવડાવજો. સાળંગપુર થી આવતા પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો જો કે પિતાએ ફરીવાર જાનવી ને સમજાવી હતી.

ગઈકાલે અરવિંદભાઈ પત્ની સાથે બહાર ગયા હતા ત્યારે જ જાનવીએ રૂમ બંધ કરીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. અરવિંદભાઈનો દીકરો ઘરે હોઈ તેણે જાનવીને નીચે ઉતારીને 108 બોલાવી હતી. જોકે 108ના ડોક્ટરે જાનવીને મૃત જાહેર કરી હતી.આ મામલે જાનવી ના પિતાએ જાનવીના પતિ જય વિરુદ્ધસરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે