કુવામાં પડી ગયેલા વાછરડાને બચાવવામાં 6 લોકોએ જીવ ગુમાવ્યા, NDRFએ લાશ બહાર કાઢી

ઝારખંડના રાંચીમાં સ્થિત પિસ્કા ગામમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. અહીં કુવામાં પડેલા વાછરડાને બચાવવાના પ્રયાસમાં 6 લોકોના મોત થયા છે. વાસ્તવમાં અહીં કુવામાં ગાયનું વાછરડું પડી ગયું હતું. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા.
આ દરમિયાન ગ્રામજનોએ વાછરડાને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન કૂવા પાસેની માટી ખાબકી હતી અને 6 લોકો કૂવામાં પડી ગયા હતા. આ બનાવની જાણ પોલીસને થતા દોડી આવી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે કૂવામાં ઘણો કાટમાળ જમા થયો હતો. આ પછી NDRFની ટીમને બોલાવવામાં આવી હતી. કૂવામાં કાટમાળ જમા થવાને કારણે NDRFને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એનડીઆરએફની ટીમે ગઈકાલે 2 અને આજે 4 મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
- કેતુ મઘા નક્ષત્રમાં ગોચર કરશે, 4 રાશિઓ માટે કુબેરનો ખજાનો ખુલશે
- મંગળ 6 એપ્રિલે શનિના નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે આ રાશિના જાતકો માટે સંપત્તિ અને સફળતા લાવશે
- શુક્ર અને ચંદ્રની યુતિથી બનશે વૈભવ લક્ષ્મી રાજયોગ,આ રાશિના જાતકોને અઢળક લાભ થશે
- 14 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં ગોચર કરશે, 3 રાશિના લોકોએ હવે સાવધ રહેવું જોઈએ
- ‘મને ચૂપ કરવામાં આવ્યો છે, પણ હાર્યો નથી’: ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનો સંદેશ
સિલ્લી ડીએસપી ક્રિસ્ટોફર કેરકેટાએ જણાવ્યું હતું કે કાટમાળને કારણે ઓપરેશનમાં વધુ સમય લાગ્યો હતો. હેમંત સોર્નેએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ગુરુવારે ટ્વીટ કરીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે ટ્વીટ કરીને લખ્યું- સિલ્લીના મુરી વિસ્તારમાં સ્થિત પિસ્કા ગામમાં કૂવામાં 5 લોકોના મોતના દુઃખદ સમાચારથી મારું મન વ્યથિત છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે.