કુવામાં પડી ગયેલા વાછરડાને બચાવવામાં 6 લોકોએ જીવ ગુમાવ્યા, NDRFએ લાશ બહાર કાઢી

ઝારખંડના રાંચીમાં સ્થિત પિસ્કા ગામમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. અહીં કુવામાં પડેલા વાછરડાને બચાવવાના પ્રયાસમાં 6 લોકોના મોત થયા છે. વાસ્તવમાં અહીં કુવામાં ગાયનું વાછરડું પડી ગયું હતું. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા.
આ દરમિયાન ગ્રામજનોએ વાછરડાને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન કૂવા પાસેની માટી ખાબકી હતી અને 6 લોકો કૂવામાં પડી ગયા હતા. આ બનાવની જાણ પોલીસને થતા દોડી આવી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે કૂવામાં ઘણો કાટમાળ જમા થયો હતો. આ પછી NDRFની ટીમને બોલાવવામાં આવી હતી. કૂવામાં કાટમાળ જમા થવાને કારણે NDRFને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એનડીઆરએફની ટીમે ગઈકાલે 2 અને આજે 4 મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
- ઉજ્જૈન દુષ્કર્મ કેસના આરોપીના પિતાનું ચોંકાવનારું નિવેદન, પોલીસને કહ્યું કે..
- દરેક સફળ વ્યક્તિમાં આ 5 બાબતો સામાન્ય હોય છે, આ બે વસ્તુઓની ક્યારેય રાહ નથી જોતાં
- ચાર્જિંગ માટે મૂકેલો ફોન બોમ્બ ની જેમ ફૂટ્યો, રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ પણ તૂટી ગયા, અનેક લોકો ઘાયલ
- લૂંટારુઓ સૂટ-બૂટ પહેરીને જ્વેલરી શોરૂમમાં ઘૂસ્યા, પછી બંદૂકની અણીએ લૂંટ, ઘટના CCTVમાં કેદ
- આ રાશિના લોકો પર આજે દેવી લક્ષ્મી મહેરબાન થશે, જાણો રાશિફળ
સિલ્લી ડીએસપી ક્રિસ્ટોફર કેરકેટાએ જણાવ્યું હતું કે કાટમાળને કારણે ઓપરેશનમાં વધુ સમય લાગ્યો હતો. હેમંત સોર્નેએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ગુરુવારે ટ્વીટ કરીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે ટ્વીટ કરીને લખ્યું- સિલ્લીના મુરી વિસ્તારમાં સ્થિત પિસ્કા ગામમાં કૂવામાં 5 લોકોના મોતના દુઃખદ સમાચારથી મારું મન વ્યથિત છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે.