GujaratMadhya GujaratSouth GujaratVadodara

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલા લાપતા લોકોના મૃતદેહો કેનાલમાંથી મળ્યા, 4 વર્ષનો પુત્રનો મૃતદેહ પિતા સાથે વળગેલો હતો

વડોદરા શહેરના નવાપુરામાં રહેતા કલ્પેશ પરમાર 1 માર્ચના રોજ પોતાની પત્ની તૃપ્તિ, માતા ઉષાબેન, પુત્ર અથર્વ અને પુત્રી નિયતી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રવાસે ગયા હતા.જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ વડોદરાનો પરિવાર પોતાની ગાડી સાથે જ લાપત્તા થતો હતો.પરંતુ બાદમાં કેનાલમાંથી ગાડી મળી આવી હતી. ફાયરબ્રિગેડે કારને બહાર કાઢી જેમાં 4 મૃતદેહો મળી આવ્યા હતા.એક મહિલાનો મૃતદેહ કારમાં ન હોવાથી શોધખોળ ચાલુ હતી.કાર મળ્યા બાદ શરુઆતમાં કલ્પેશ પરમાર, તેમના માતા ઉષાબેન અને દીકરી નિયતી, દીકરા અથર્વનો મૃતદેહ મળ્યો હતો.

લોકો દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા કેમ કે ચાર વર્ષના પુત્ર અથર્વનો મૃતદેહ તેના પિતા કલ્પેશ સાથે વળગેલી હાલતમાં હતો. જો કે કાર કેનાલમાં કઈ રીતે પડી તે તપાસનો વિષય બની ગયો છે કેમ કે કારની લાઇટને પણ નુક્સાન નથી થયું તેમજ કારમાં કોઈ ઘસારા ના પણ નિશાન જોવા મળ્યા નથી.

પોલીસના જણાવ્યા મુજબ ગાડી કેનાલ પાસે કાચા રોડ પર રોંગ સાઇડ પર ગઈ હતી અને કેનાલમાં પડી હતી. સવાલ એ છે કે કલ્પેશ કાચા રસ્તા પર રોન્ગ સાઈડમાં કેમ ગયો? તેણે ઇરાદાપૂર્વક આ કર્યું હશે જે અન્ય કંઈક બનાવ બન્યો તે તપાસનો વિષય છે.કલ્પેશે આપઘાત કરવાના ઇરાદે પણ આવું પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મળતી વિગતો મુજબ કલ્પેશ પરમાર કમ્પ્યુટર ક્લાસ ચલાવતા હતા અને શેરબજારનું કામ પણ કરતા હતા. શેરબજારનું દેવું થઇ જતા કલ્પેશે આ પગલું ભર્યું હશે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા જેમાં પરિવાર છેલ્લે ડભોઇ ચોકડી પાસેની હોટલમાં જમવા રોકાયો હતો.

કલ્પેશ પરમાર ના છેલ્લા મોબાઈલ લોકેશન ને આધા રે પોલીસે ડભોઈ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં તપાસ હાથ ધરી હતી જ્યાં કલ્પેશની કાર મળી આવી હતી. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ગાડીને બહાર કાઢતાં તેમાંથી 4 મૃતદેહો મળી આવ્યા હતા.