લોકડાઉન : અમદાવાદીઓ સાંજે ૭ થી સવારે ૭ વાગ્યે સુધી જો ઘરની બહાર નીકર્યા તો તમારી ખેર નહી..
અત્યારે કોરોનાની મહામારીને લઈને લોકો અને તંત્ર ખુબ જ ચિંતિત છે.તંત્ર પોતાની તરફથી બનતા તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ કોરોનાના દર્દીઓનો આંકડો ઘટવાનું નામ લેતો નથી દિવસે ને દિવસે આ દર્દીઓનો આંકડો વધી જ રહ્યો છે.કોરોના સામે લડવા સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરી દીધું છે.અત્યારે લોકડાઉન-૨ નો દોર ચાલી રહ્યો છે જે કાલ પૂરો થઈને લોકડાઉન-૪ ચાલુ થશે.
તમને જણાવી દઈએ કે સરકારે કેસની સંખ્યાને આધારે જીલાઓને અલગ અલગ ઝોનમાં વહેચી દીધા છે.જ્યાં ઝોન પ્રમાણે આંશિક છૂટ અને કડકાઈ દાખવવામાં આવી રહી છે.આરોગ્ય અને પોલીસ ખાતું પણ અત્યારે લોકોની સેવામાં સતત ખડેપગ છે.
આપને બધા રોજબરોજ અપડેટ થતા કોરોનાના આંકડાથી પરિચિત છીએ,શહેરમાં 3293 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 165 લોકોના મોત થઇ ગયા છે તો 399 લોકો કોરોના સામેનો જંગ જીતી જતાં પોતાના ઘરે પરત ફર્યા છે. આ ઉપરાંત અમદાવાદથી ખાસ બે ટ્રેન શ્રમિકોને વતન મોકલવા માટે ટ્રેન રવાના કરી દેવામાં આવી છે.તમને જણાવી દઈએ કે અમદાવાદના વિવિધ ઝોનમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ તંત્ર ખડેપગે છે તો આ જ દરમિયાનમાં હવે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવી દીધું હતું કે,હવે અમદાવાદમાં સાંજના 7 વાગ્યા પછી અને સવારના 7 વાગ્યા પહેલા કોઈપણ વ્યક્તિ પોતાના ઘરની બહાર નીકળી શકશે નહી.
તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, ‘હવેથી કોઈપણ ઝોન હોય રેડ ઝોન કે ઓરેન્જ ઝોન અથવા તો ગ્રીન ઝોન જ કેમ નાં હોય, પરંતુ હવે થી સમગ્ર અમદાવાદમાં સાંજના સાત કલાકથી સવારના સાત કલાક સુધી ઈમરજન્સી કામ વગર કોઈપણ ઘરની બહાર નહીં નીકળી શકે. વધુમાં એમણે એ પણ ઉમેર્યું હતું કે જેણે પણ આ કાયદાનું ઉલ્લંઘન કર્યું તો તેની સામે કડકમાંથી કડક પગલા લેવામાં આવશે.’ અહી નોંધનીય છે કે, અમદાવાદના નવ વોર્ડ રેડ ઝોનમાં છે. જ્યાં પણ રેડ ઝોન છે ત્યાં જો લોકડાઉનનો ભંગ થશે તો પોલીસ દ્વારા કડક પગલાઓ લેવામાં આવશે.
અહી નોંધનીય છે કે આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિજય નેહરાએ દાવો કર્યો હતો કે, લોકડાઉનનું 100 ટકા પાલન કરીશું તો જ મે મહિનાના અંત સુધીમાં કોરોના પર કાબૂ મેળવી શકશું. તેમણે કહ્યું હતું કે ગઈકાલે સાંજ સુધીમાં 456 લોકોને ડિસ્સાર્જ કર્યા છે જ્યારે SVP હોસ્પિટલમાં 24 લોકોને ડિસ્ચાર્જ કર્યા છે. આ ઉપરાંત તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, જમાલપુર વોર્ડમાં છીપા કોમ્યુનિટી સેન્ટરમાં કોવિડ કેર સેન્ટર કરાશે તદઉપરાંત ગોમતીપુરની અલ અમીન ગરીબ નવાઝ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવશે.
અમદાવાદમાં કયા વિસ્તારમાં કેટલા કેસ છે એ અંગે વાત કરીએ તો ઓઢવમાં 22 કેસ, જોધપુરમાં 28 કેસ,ઈન્ડિયા કોલોનીમાં 28 કેસ, સરદારનગરમાં 12 કેસ, નરોડામાં 44 કેસ, ભાઈપુરા હાટમાં 10 કેસ, અમરાઈવાડીમાં 31 કેસ, ગોમતીપુરમાં 108 કેસ,ઓઢવમાં 22 કેસ, નિકોલમાં 24 કેસ, બહેરામપુરામાં 335 કેસ, વટવામાં 41 કેસ, લાંભામાં 37 કેસ, વિરાટનગરમાં 10 કેસ, વસ્ત્રાલમાં 29 કેસ, રામોલ-હાથીજણમાં 19 કેસ, ઈન્દ્રપુરીમાં 17 કેસ, દાણીલીમડામાં 227 કેસ, ખોખરામાં 15 કેસ, ઈસનપુરમાં 49 કેસ, મણિનગર 114 કેસ, વેજલપુરમાં 29 કેસ, સરખેજમાં 9 કેસ, મક્તમપુરામાં 25 કેસ, કુબેરનગરમાં 25 કેસ, બાપુનગરમાં 53 કેસ, સરસપુર-રખિયાલમાં 112 કેસ, ઠક્કરબાપાનગરમાં 16 કેસ, સૈજપુર બોઘામાં 24 કેસ નોંધાયા.