Ahmedabad

અમદાવાદમાં લોકડાઉન દરમિયાન પરિસ્થિતિ વણસી, પોલીસકર્મીઓ પર હુમલો PI સહીત 4 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

અત્યારે સમગ્ર રાજ્ય સહિત દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે.અત્યારે દેશનું અર્થતંત્ર પણ નીચું આવી ગયું છે.સરકાર પણ આ મહામારી સામે લડવા બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે.આ મહામારીને રોકવા અને દિવસે દિવસે વધતા કેસો ને કંટ્રોલમાં લેવા સમગ્ર દેશમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.રાજ્યમાં સૌથી વધારે હાલત અમદાવાદની ખરાબ છે અમદાવાદમાં આ મહામારીને રોકવા બઉ જ કડક પગલા તંત્ર દ્રારા લેવામાં આવ્યા છે લોકો વચ્ચે અંતર બની રહે એટલા માટે અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો છે દૂધ અને દવા જેવી જરૂરી વસ્તુ સિવાય દરેક જીવન જરૂરીયાત વસ્તુઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.આ વચ્ચે જ એક સમાચાર મળી રહ્યા છે કે મામલો પોલીસ અને પબ્લિક વચ્ચે બીચકયો છે.

અમદાવાદ શહેરમાં પોલીસ હાલ નાગરિકો પાસે કડક લોકડાઉનનું પાલન કરાવવા માટે 24 કલાક ખડેપગે છે, ત્યારે આજે શાહપુર અડ્ડા વિસ્તારમાં લોકડાઉનનો અમલ કરાવવા ગયેલી પોલીસ પર પબ્લિક દ્રારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને પગલે શાહપુર પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટિયરગેસના 5 સેલ છોડ્યા હતા અને હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.

અહી ઉલ્લેખનીય છે કે અત્યારે રમઝાનમ મહિનો ચાલી રહ્યો છે.આ સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર શાહપુર રાજાજીની પોળ અને નાગોરીવાડમાં લોકડાઉન વચ્ચે રમઝાન માસ દરમિયાન લોકો ઘરની બહાર નીકળતા આ મામલો ગરમાયો હતો. પોલીસે પબ્લીકને સમજાવીને પોતાના ઘેર જતા રહેવાનું કહેતા લોકોએ ઉશ્કેરાઈને બુમાબુમ કરી દીધી હતી. ત્યાર બાદ પથ્થરમારો થતાં શાહપુર પીઆઇ આર.કે.અમીન સહિત 4 પોલીસકર્મી આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે હાલ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ છે. અત્યારે ગુનેગાર લોકોને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેટલાક લોકોની પોલીસે અટકાયત પણ કરી છે. હાલ શાહપુરમાં પેરામિલિટ્રી ફોર્સ સહિતનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે જેથી કરીને પરિસ્થિતિ આ મહામારી દરમિયાન વધારે નાં બગડે.