અમદાવાદમાં વધી રહેલા કેસોને નિયંત્રણમાં લેવા રૂપાણી સરકારે આ અધિકારીને પાછા બોલાવવા પડ્યા,જાણો વિગતે..
ગુજરાતમાં કોરોના ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે સરકાર દ્રારા છેલ્લા કેટલાય સમય થી આ કોરોનાની મહામારી સામે લડવા માટે સમગ્ર રાજ્ય સહીત દેશભરમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.રાજ્યમાં દરેક જગ્યાએ કેસ વધી રહ્યા છે સૌથી વધારે કેસની વાત કરીએ તો અમદાવાદમાં આ દર્દીઓની સંખ્યા વધારે છે.અમદાવાદમાં સીચીલ હોસ્પિટલ અસારવામાં આ દર્દીઓ ખુબ જ મોટી સંખ્યામાં છે.આ કોરોના સામે લડવા સરકાર બનતા તમામ પ્રયત્નો કરી રહી છે.આરોગ્ય અને પોલીસ ખાતું છેલ્લા કેટલાય સમયથી પોતાના પરિવારથી દુર રહીને ખડેપગે પોતાની સેવા આપી રહ્યું છે.
અમદાવાદમાં વધી રહેલા આ કેસો ઓછા થાવનું નામ લેતા નથી અને તંત્ર પણ ક્યાંકને ક્યાંક અસરકારક સાબિત થયું નથી એવામાં કેસોની સંખ્યાને કંટ્રોલમાં લેવા રાજ્યના સીએમ અને એમની ટીમ ખુબ જ પ્રયત્નો કરી રહ્યું છે આ પ્રયત્નોની વછે અને લોકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે અમદાવાદમાં સિવિલ સુપરિટેન્ડન્ટ એમ.એમ.પ્રભાકરને પાછા બોલાવ્યા છે.
અહી ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે થોડા જ સમય પહેલાં નિવૃત થયેલા પ્રભાકરને સિવિલ હોસ્પિટલની જવાબદારી સોંપી છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ સામેના વધતા કેસો વચ્ચે એમ.એમ.પ્રભાકર સિવિલ હોસ્પિટલના વડા તરીકે પોતાની કામગીરી કરશે. અહી નોધનીય છે કે ડો. પ્રભાકરની નિવૃત્તિ પછી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ડો. ગુણવંત રાઠોડ ની નિમણુક થઇ હતી.
જો કે આ દરમિયાન ડો. ગુણવંત રાઠોડના પુત્રને કોરોના પોઝોટિવ આવતાં ડો. રાઠોડ પોતિ પણ હોમ કોરન્ટીન થયા હતા. આ કારણે સિવિલ હોસ્પિટલનો કાર્યભાર બે અધિકારીને સોંપાયો હતો પણ તે અસરકારક કામગદીરી ના બજાવી શકતાં લોકોની ફરિયાદને પગલે છેવટે ડો. પ્રભાકરને પાછા લાવવા પડ્યા છે. તમને જણાવી દઈએ કે ડો. પ્રભાકરે સિવિલ હોસ્પિટલમાં વરસો સુધી વડા તરીકે સેવા આપી હતી.