IndiaNews

નક્સલવાદીઓના છક્કા છોડાવી રહી છે છત્તીસગઢની આ IPS અંકિતા શર્મા

રાયફલ હાથમાં લઈને છત્તીસગઢના જંગલોમાં નક્સલીઓના નાકમાં દમ કરી દેવા વાળી આઇપીએસ અંકિત શર્મા એ રિયલ લાઈફ હિરોઈન છે. છત્તીસગઢની પહેલી મહિલા આઇપીએસ અંકિત શર્મા પોતાના મજબૂત ઈરાદાને કારણે નવી પેઢીની માટે તે રોલ મોડલ બની ગઈ છે. અત્યારે બસ્તર જેવા નક્સલી જિલ્લામાં એન્ટી નક્સલ ઓપરેશનની કમાન લીડ કરી રહી છે. તમને જણાવી દઈએ કે બસ્તર અઘરી જગ્યાએ ખુબ જ હોશિયાર અને ઝડપી હોય એવા ઓફિસરોની જ પોસ્ટિંગ થાય છે. અંકિતાએ મહિલા ઓફિસર હોવા છતાં પણ તે પોતાનું પદ તો સારી રીતે સંભાળે જ છે સાથે સાથે તેમને અઘરા ઓપરેશનની જાણકારી અર્પણ સોંપવામાં આવી છે. તમને આજે અમે જણાવશું અંકિતા શર્મા વિશેની જાણવાજેવી માહિતી.

અંકિતા શર્મા છેલ્લા 6 મહિનાથી બસ્તરમાં નક્સલ વિરોધી ઓપરેશનને કમાન્ડ કરી રહી છે અને નક્સલ ઓપરેશનમાં DRG જવાનો સાથે ખભે ખભા મિલાવીને પણ જઈ રહી છે. તાજેતરમાં, બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડને પણ ભારે નક્સલ પ્રભાવિત વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સોશિયલ મીડિયા પર તેનો ફોટો વાયરલ થયા બાદ ટ્વિટ કરીને તેના વખાણ કર્યા હતા. આ પહેલા પણ અંકિતા શર્મા પોતાના સાહસિક કાર્યો માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે.

અંકિતાએ વર્ષ 2018માં યુપીએસસીની પરીક્ષા ક્લીઅર કરી હતી અને 203મી રેન્ક મેળવી છત્તીસગઢની પહેલી મહિલા આઇપીએસ ઓફિસર બની હતી. અંકિતાનો જન્મ 1990માં છત્તીસગઢમાં થયો હતો. વેપારી પિતા રાકેશ શર્મા અને ગૃહિણી માતા સવિતા શર્માની દીકરી અંકિતા ત્રણ બહેનમાં સૌથી મોટી છે.

અભ્યાસમાં હંમેશા ટોપર રહેતી અંકિતાએ ત્રણ પ્રયાસો બાદ યુપીએસસીની પરીક્ષા પાસ કરી. IPS બન્યા પછી બસ્તરમાં પોસ્ટિંગ એ તેમનું એક સપનું હતું. 2 વર્ષ સુધી છત્તીસગઢના અલગ-અલગ જિલ્લામાં સેવા આપ્યા બાદ બસ્તરમાં એએસપી તરીકે તૈનાત થયા ત્યારે તેમનું સ્વપ્ન સાકાર થયું. તેને અહીં નક્સલ ઓપરેશનની કમાન સોંપવામાં આવી છે. અંકિતા પોતે ડીઆરજી જવાનો સાથે જિલ્લાના તમામ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે જાય છે.

ઘણા IPS અને IAS ઓફિસરો અંકિતા શર્માની માટે પ્રેરણામૂર્તિ છે. આમાં તેઓ અજીત ઢોલ, આઈપીએસ નીતુ કમલ, સંજોક્ત જેવા અધિકારીઓથી ખૂબ પ્રભાવિત છે. બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન તરફથી મળેલી પ્રશંસા પર અંકિતાએ તેમનો આભાર માન્યો છે.

અંકિતા પ્રમાણે નક્સલીઓએ માનસિક રીતે બસ્તરના સાદા અને ભોળા લોકોને ગામડાના લોકોને પકડી રાખ્યા છે. તેમનું બ્રેનવોશ કરી દેવામાં આવ્યું છે પણ અંદરથી તે બધા જ નક્સલવાદથી મુક્ત થઈને સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવવા માંગે છે. અંકિતાને વિશ્વાસ છે કે આ એરિયામાં પણ જીવન સામાન્ય થઇ જશે.