India

IASની પત્નીએ લગ્નના 2 મહિના પછી જ કરી લીધી આત્મહત્યા, કારણ હતું આવું

લગ્ન પછી દરેકની એક નવી જિંદગી શરુ થતી હોય છે. દરેક વ્યક્તિ લગ્ન પછી ખુબ ઉત્સાહિત હોય છે. પણ જોધપુરમાં પ્રિયંકા ઉર્ફ ભાવનાએ લગ્નના બે મહિના પછી જ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. આની પાછળ એક બહુ મોટું રહસ્ય છે. હવે આ બાબત સાથે જડોયાયેલ દરેક વ્યક્તિની પોલીસ પૂછપરછ કરી રહી છે. પ્રિયંકાના પિતા આ બાબતે જણાવી રહ્યા છે કે તેઓ દરરોજ દીકરીને msgથી ખબર પૂછતાં હતા. તે કહેતી હતી કે સારું નથી.
 
પ્રિયંકાના પતિ સુરેન્દ્ર રાજમહેલ સ્કૂલમાં એલડીસી તરીકે કામ કરે છે. આ બનાવ બન્યો તે દિવસે તે નોકરી પર ગયો હતો. શાળામાં નોકરી કરતી વખતે તેને પત્નીની પણ ચિંતા રહેતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, સુરેન્દ્ર મહેરાએ સ્ટાફને નવા વર્ષની શુભકામનાઓ આપ્યા બાદ પત્નીના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું કે તેની પત્ની બીમાર હતી. તેણીને પેટમાં દુખાવો અને ઉલ્ટી થઈ રહી છે. આત્મહત્યા કરનાર IAS BL મહેરાની પુત્રવધૂ પ્રિયંકા ઉર્ફે ભાવના ઘણી ખુશ રહેતી હતી.

હવે તેમના પરિવારના લોકો હેરાન છે કે અચાનક આ શું થઇ ગયું કે પ્રિયંકાએ પોતાનું જીવન પૂરું કરી લીધું. પિતા નંદ કિશોર વ્યાસ કહે છે કે તેઓ દરરોજ પોતાની દીકરીને msg કરીને હાલ-ચાલ પૂછતાં હતા અને દીકરી હંમેશા કહેતી હતી કે સારી છું પપ્પા. પ્રિયંકાએ પિતાને કહ્યું કે નવા વર્ષે તેને મળવા જવું હતું પણ પછી અમે થોડા લેટ થઇ ગયા. ત્યારે પહેલી તારીખે બપોરે પ્રિયંકાનો ફોન આવે છે અને તે બહુ ઢીલી વાત કરતી હતી તેણે કહ્યું કે, ‘મારી તબિયત સારી નથી, તમે જલ્દી આવી જાવ.’

થોડી જ વારમાં હું નાની દીકરી સાથે બાઇક પર તેના સાસરે પહોંચી ગયો. અમે ત્યાં ઘરની અંદર ગયા તો દીકરી નીચે પડેલી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. ત્યાં તેને ઈમરજન્સીમાં લઈ જવામાં આવ્યો. અનેક પ્રયાસો છતાં તેને બચાવી શકાયો નહોતો. હવે આ રીતે ઝેર પીને મહિલાના મોત પાછળ પોલીસ તપાસ કરી રહી છે. જોકે પ્રિયંકાના લગ્નને બે મહિના જ થયા છે. જેના કારણે એડીએમ સિટી રામચંદ્ર પણ દહેજના ડર, ઘરેલુ ઝઘડા અને ઉત્પીડન અંગે કેસની તપાસમાં લાગેલા છે.

આ મામલે પ્રિયંકાના નાના ભાઈ નવીન કુમારે માહિતી આપી હતી કે દીદીએ M.Com કર્યું છે. તે તેના લગ્ન પહેલા અમારી ફેક્ટરીનો હિસાબ જોતી હતી. તેમના લગ્ન 14 નવેમ્બરે જ થયા હતા. બધું સામાન્ય થઈ રહ્યું હતું. શું થયું, કંઈ કહી શકતો નથી.