AhmedabadGujaratIndiaNewsRajkot

અમદાવાદથી રાજકોટ બાજુ જાઓ તો જમવા માટે આ હોટેલમાં ચોક્કસ જાઓ, ફક્ત 90 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું મળે છે,

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું રેસ્ટોરંટની જેનું નામ શ્રી રામ ભરોસે હિન્દુ હોટેલ છે.આ રેસ્ટોરન્ટ 17 વર્ષ જૂની છે.આ રેસ્ટોરન્ટના માલીકનું નામ ક્રિપાલસિંહ ઝાલા છે.આ રેસ્ટોરન્ટમાં ફક્ત 90 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું મળે છે.જેમાં ભાખરી,રોટલી,સલાડ,4 જાતના શાક,દાળ-ભાત,છાશ,આ બધુ જ તમે ભરપેટ ખાઈ શકો છો.

જો આપણે સરનામાની વાત કરીએ તો રાજકોટથી અમદાવાદ બાજુ જાઓ તો લીમડી આવે છે,ત્યાથી આગળ ડાબી બાજુ આ હોટેલ આવેલી છે.આ રેસ્ટોરન્ટ હરે ક્રિષ્ના પેટ્રોલપંપની નજીક આવેલ છે.અને છતાં પણ સરનામું ન મળે તો 97235 61001 આ નંબર પર ફોન કરી એડ્રેસ પૂછી શકો છો.

આ રેસ્ટોરન્ટની ખાસ વાત એ છે કે અહી સાધુ સંતો અથવા પગ યાત્રાળુંને વિના મૂલ્યે જમાડવામાં આવે છે.જો તમે અમદવાદથી રાજકોટ બાજુ જાઓ તો આ હોટેલમાં જમવા માટે એકવાર અવશ્ય જાઓ.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.