માલધારી સમાજના યુવક કિશન ભરવાડ ની હત્યાના કેસમાં પોલીસને આ સબૂતો પણ મળી આવ્યા…
ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યા બાદ ગુજરાતમાં સતત ભયનો માહોલ ઉભો થયેલો છે. જ્યારે તેની હત્યા બાદ ધંધુકામાં છેલ્લા થોડા દિવસોથી બંધનો માહોલ રહેલો છે. જ્યારે તેની હત્યા ને લઈને અવનવી માહિતીઓ સામે આવી રહી છે. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, યુવકની હત્યા જેહાદી ષડયંત્રમાં કરવામાં આવેલ છે. એવામાં કિશન બોળીયા ની હત્યા ને લઈને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
તેની સાથે આજે બાબતમાં પોલીસને એક મોટી સફળતા મળી ગઈ છે. પોલીસને સર મુબારક ની દરગાહ પાછળથી એક પિસ્તોલ મળી હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે પોલીસ દ્વારા આ ઘટનામાં ઉપયોગ થયેલ હથિયાર અને બાઈક જપ્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરગાહની પાછળ રહેલા ખુલ્લા મેદાનમાં પિસ્તોલ મળી આવી છે.
તેની સાથે આ ઘટના કનેક્શન પાકિસ્તાન સાથે જોડાઈ ગયા છે. પાકિસ્તાનમાં તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠન દ્વારા હત્યા ની જવાબદારી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠનનો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે હોવાનું જાણવા મળ્યું છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી છે. તેની સાથે તે પણ જાણવા મળ્યું છે કે, ખાદીમ રિઝવી રાજકીય હત્યાઓ કરાવવાના અજેન્ડા પર કામ કરે છે.
જ્યારે ધંધુકાના યુવકની હત્યા કરવા માટે મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ ઘટનામાં એ પણ જાણવા મળ્યું છે કે, આરોપીઓ દ્વારા પાકિસ્તાન સંગઠન પર ભડકાઉ ભાષણો સાંભળ્યા બાદ અમદાવાદ અને મુંબઈના મૌલાનાઓની વચ્ચે તેની હત્યાના સંદર્ભમાં હત્યા કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જ્યારે હવે આ મામલામાં ATS દ્વારા આરોપીઓના પાકિસ્તાન કનેક્શન શોધવા માટે અલગ ટીમ બનાવવામાં આવી છે.