કુવામાં પડી ગયેલા વાછરડાને બચાવવામાં 6 લોકોએ જીવ ગુમાવ્યા, NDRFએ લાશ બહાર કાઢી

ઝારખંડના રાંચીમાં સ્થિત પિસ્કા ગામમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. અહીં કુવામાં પડેલા વાછરડાને બચાવવાના પ્રયાસમાં 6 લોકોના મોત થયા છે. વાસ્તવમાં અહીં કુવામાં ગાયનું વાછરડું પડી ગયું હતું. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા.
આ દરમિયાન ગ્રામજનોએ વાછરડાને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન કૂવા પાસેની માટી ખાબકી હતી અને 6 લોકો કૂવામાં પડી ગયા હતા. આ બનાવની જાણ પોલીસને થતા દોડી આવી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે કૂવામાં ઘણો કાટમાળ જમા થયો હતો. આ પછી NDRFની ટીમને બોલાવવામાં આવી હતી. કૂવામાં કાટમાળ જમા થવાને કારણે NDRFને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એનડીઆરએફની ટીમે ગઈકાલે 2 અને આજે 4 મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
- 1000 મિસાઇલોથી ઈરાનને તબાહ કરી દઈશું, ટ્રમ્પના નિવેદન બાદ ઈરાન પણ મોરેમોરો આવ્યું
- સિંહ કેમ માણસોના ભૂખ્યા બન્યા? ગિરનાર સીડી ચઢતા 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો
- શનિની ચાલ બદલાઈ રહી છે, જે 3 રાશિઓને ભારે પડશે
- ૧૨ જુલાઈના રોજ ગુરુ અને શુક્રની યુતિ, જે આ રાશિના જાતકોનું ભાગ્ય ખોલશે
- શુક્રનું નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિના જાતકોને ખર્ચ અને તણાવમાં વધારો થશે
સિલ્લી ડીએસપી ક્રિસ્ટોફર કેરકેટાએ જણાવ્યું હતું કે કાટમાળને કારણે ઓપરેશનમાં વધુ સમય લાગ્યો હતો. હેમંત સોર્નેએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ગુરુવારે ટ્વીટ કરીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે ટ્વીટ કરીને લખ્યું- સિલ્લીના મુરી વિસ્તારમાં સ્થિત પિસ્કા ગામમાં કૂવામાં 5 લોકોના મોતના દુઃખદ સમાચારથી મારું મન વ્યથિત છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે.