SaurashtraGujarat

અમરેલી મા દાદી બની ક્રૂર, પૌત્રને મોતને ઘાટ ઉતારી નાખ્યો, જાણો સમગ્ર અહેવાલ…

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ  રહ્યો છે. તેને લઈને અવારનવાર મામલાઓ સામે આવતા રહે છે. જ્યારે આજે અમરેલીથી આવી જ એક બાબત સામે આવી છે. અમરેલી ના રાજસ્થળી ગામમાં એક વર્ષના પૌત્રને બચકા ભરી માર મારી દાદી દ્વારા જ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, રાત્રીના બાળક રડતું હોવાના લીધે દાદીની ઊંઘ બગડતા તે ગુસ્સે થઈ ગયા હતા. ત્યાર બાદ દાદી દ્વારા માસૂમ બાળકને લાફા અને ધબ્બા મારવાની સાથે બચકા ભરીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યું હતું.

ઘટનાને લઈને જણાવી દઈએ કે, અમરેલી ના રાજસ્થળી ગામમાં હુસેનભાઈ સૈયદ તેમના પત્ની કુલસનબેન, પુત્ર રફિકભાઈ સિવાય પુત્રવધૂ અને પૌત્ર, પૌત્રી સહિતનો પરિવાર વસવાટ કરે છે. એવામાં આ ઘોડિયા પાસેથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતમાં મૃતક બાળક ના દાદા હુસૈન બચુભાઈ સૈયદને જાણ કરવામાં આવતા અમરેલી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો. તે દરમિયાન બાળક અલીરજાક ના હાથ, પગ અને મોઢા પર બચકાંના નિશાન દેખાયા હતા. જ્યારે શરીર પર માર ના નિશાન પણ રહેલા હતા. તેના લીધે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મૃત બાળક ના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આ મામલામાં વધુ તપાસ શરૂ કરી હતી.

ત્યાર બાદ પોલીસ દ્વારા આ મામલામાં સમગ્ર પરિવારની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન તમામે કંઈ ખબર ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેના લીધે ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેહને ભાવનગર મેડિકલ કોલેજ ખાતે મોકલી દેવાયો હતો. પીએમ રિપોર્ટ સામે આવ્યા બાદ માસૂમ બાળક દ્વારા અત્યાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. બાળકના શરીર પર બચકાં ભરેલું જોવા મળ્યું હતું.

તેના લીધે પોલીસ દ્વારા આ મામલામાં વધુ પૂછપરછ કરવામાં આવતા દાદી કુલસન બેન હુસેનભાઈ સૈયદે કબૂલી લેવામાં આવ્યું હતું કે, તેમના દ્વારા સવા વર્ષના માસૂમ પૌત્ર અલીરજાકને મારી નાખવામાં આવ્યો છે. દાદી દ્વારા બાળકને મારને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો હતો. હામાં પોલીસ દ્વારા દાદી કુલશનબેન વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.