GujaratSouth GujaratSurat

નામ બદલીને વિધર્મી યુવક હિન્દૂ યુવતીને સાપુતારા ફરવા લઈ ગયો અને પછી….

નામ બદલીને હિન્દુ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને તેમને લગ્ન કરવાની લાલચ આપીને હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચરવાના લવ જેહાદના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વિધર્મીએ પોતાનું નામ બદલીને હિન્દૂ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી બાદમાં તેને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ 15 દિવસ પછી યુવતીને માલુમ પડ્યું કે યુવક વિધર્મી છે ત્યારે આ સમગ્ર બાબતનો પર્દાફાશ થયો હતો. હાલ તો આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના પુણા વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મૂળ બિહારના અને હાલ સુરતમાં રહીને કપડાંની દુકાન ચલાવનાર ઓઝેર આલમ નામના વિધર્મી વ્યક્તિએ પોતાનું નામ બદલીને અર્જુન સિંહ રાખ્યું અને એક હિન્દૂ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારપછી આ વિધર્મીએ લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. વિધર્મી યુવક યુવતીને લઈને સાપુતારા ગયો હતો. પરંતુ 15 દિવસ પછી યુવતીને માલુમ થયું કે આ અર્જુનસિંહ નહીં પરંતુ ઓઝેર આલમ છે. અને તેણે નામ બદલીને પ્રેમજાળમાં ફસાવી છે.

નોંધનીય છે કે, આ ઘટનાને પગલે  હિન્દૂ સંગઠનના લોકો પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હાલ તો આ વિધર્મી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસે પણ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.