રાજ્યના યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા લોકરક્ષક ની વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતી ની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેના હેઠળ અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ અપાતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવી પડશે. જ્યારે તેના કોઈ ગુણ રહેવાના નથી.
તમને જણાવી દઈએ કે, પહેલા શારીરીક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જેને હવે રદ કરવામાં આવેલ છે. આ રીતે શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઇંગ રહેશે તેના કોઈ ગુણ અપાશે નહીં અને શારીરીક કસોટીમાં પાસ થયેલ તમામ ઉમેદવારો OBJECTIVE MCQ TEST આપી શકશે.
આ અગાઉ શારીરીક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની MCQ TEST લેવાતી હતી. તેના બદલે હવે ૨૦૦ ગુણનું ૩ કલાકનું OBJECTIVE MCQ TEST નું એક જ પેપર લેવાશે. જ્યારે પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેવાનું છે જ્યારે દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવા પડશે. જ્યારે જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રખાયા છે.
તેની સાથે પહેલા લોકરક્ષકની ભરતીમાં માત્ર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ અપાતા હતા. તેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ અપાશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા ના આધારે મુજબ આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, NFSU અથવા RRU માં કરેલ કોર્ષનો સમયગાળો આપવાના થતા વધારાના ગુણ મુજબ, એક વર્ષ માટે ૩, બે વર્ષ માટે ૫, ત્રણ વર્ષ માટે અને ચાર વર્ષ કે તેથી વધુ ૧૦ ગુણ અપાશે.