AhmedabadGujarat

બાબા બાગેશ્વર ના ભારે વિરોધ બાદ દિવ્ય દરબારના કાર્યક્રમમાં કરાયો મોટો ફેરફાર

દેશભરમાં જાણીતા અને સૌથી ચર્ચિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં આવવાના છે. તેમના કાર્યક્રમોને લઈને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા હતા. તેમાં પણ અમદાવાદ અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં બાબાના કાર્યક્રમનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં તેમને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.  ભાજપ અને કોંગ્રેસ આ મુદ્દા પર સામસામે આવી ગયા છે. એવામાં આ બધાની વચ્ચે અમદાવાદ ના દિવ્ય દરબારના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છે કે, બાબા બાગેશ્વર ના કાર્યક્રમનું આયોજન અમદાવાદ ના ચાંદલોડિયા વિસ્તારમાં થવાનું હતું. તેમાં પણ પ્રથમ બે દિવસનો દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મુજબ, 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર ધામ સરકાર નો દિવ્ય દરબાર ભરાવવાનો હતો. તેમ છતાં પરિસ્થિતિ બગડતા દિવ્ય દરબારના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જાણકારી મુજબ, અમદાવાદમાં એક જ દિવસ માટે બાબાનો દિવ્ય દરબાર ભરવામાં આવશે. તેમ છતાં તેના માટે કોઈપણ જાતનું રજીસ્ટ્રેશન કે ઓનલાઈન એન્ટ્રી કરાવવી પડશે નહીં. કોઈપણ વ્યક્તિ દિવ્ય દરબારમાં પ્રવેશ મેળવી શકશે. અમદાવાદમાં બે દિવસના બદલે હવે 29 મે ના રોજ દિવ્ય દરબાર ભરાવાના સમાચાર સામે આવ્યા છે. તેની સાથે કોઈપણ ભક્ત આ દરબારમાં આવી શકશે. જ્યારે હવે એક દિવસનો દિવ્ય દરબાર રખાયો છે.  પહેલાં બે દિવસના કાર્યક્રમ નું નક્કી કરવામાં આવ્યું હતો. પરંતુ ગુજરાત પ્રવાસ પહેલા જ વિવાદ થતા તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.