GujaratSaurashtra

ભાવનગરના શેલારશા ચોક નજીક મહાનગરપાલિકાના કર્મચારી ની તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં હત્યા

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. કેમકે સતત હત્યા, મારામારી અને ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભૂલ ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવો જ એક મામલો ભાવનગરથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગર શહેરના વિસ્તાર શેલારશા ચોક નજીક એક યુવાન પર આરોપીઓ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમ છતાં હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ઘટનાને લઈને જણાવી દઈએ કે, ભાવનગર શહેરની સંઘેડિયા બજારમાં શેલારશા ચોક નજીક ઇલિયાસ બેલીમ નામના યુવક પર સંઘેડિયા બજાર વિસ્તારમાં સરફરાઝ ઉર્ફે નાનકો સહિતના આરોપીઓ દ્વારા જાહેરમાં છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. તેના લીધે ઇલિયાસ બેલીમ લોહીલુહાણ થઈ ગયો હતો. ત્યાર બાદ બેલીમને નજીકની તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમ છતાં હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

જાણકારી અનુસાર, મૃતક ઇલિયાસ બેલીમ ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ વિભાગના સિક્યોરિટી વિભાગમાં ફરજ પર રહેલા હતા અને કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ પણ રહેલા હતા. આર્થિક લેવડ-દેવડમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે.