GujaratSaurashtraSurendranagar

ચોટીલા હાઈવે પર સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રકની અડફેટે આવતા બે ભાઈઓના ઘટનાસ્થળ પર કરૂણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત ચોટીલા હાઈવેથી સામે આવ્યો છે.

ચોટીલાથી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રકે ભયંકર અકસ્માત સર્જ્યો છે. ટ્રક દ્વારા બે ભાઈઓને અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ટ્રક પેટ્રોલ પાસે ઉભેલી હતી. એવામાં તે ઢાળ હોવાના લીધે ચાલવા લાગી અને મામલતદાર કચેરીની દીવાલ સાથે ટકરાઈ ગઈ હતી. તેના લીધે અકસ્માત સર્જાયો હતો.

આ દરમિયાન મામલતદાર કચેરી પાસે ઉભેલા અન્ય બે પરપ્રાંતીય ટ્રકની અડફેટે આવી જતા તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં ટ્રકમાં સેલ્ફની ખામી હોવાના લીધે ટ્રક બંધ હાલતમાં ઊભો હોય તે સમયે અચાનક ટ્રક ચાલવા લાગ્યો અને આ ઘટના ઘટી હતી.

ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પહોંચી આ મામલામાં તપાસ હાથ ધરી હતી. મૃતકોની વાત કરીએ તો આ દુર્ઘટનામાં પુસ્પેન્દ્રસિંહ બુનેરા અને વીરેન્દ્રસિંહ બુનેરાનું મોત નીપજ્યું છે. જ્યારે આ બંને રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ડ્રાઈવરની બેદરકારીના લીધે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. કેમકે ડ્રાઈવર રોડ ઉપર પર હેંડ બ્રેક માર્યા વગર જ ડમ્પર ઉભું રકહીને ચાલ્યો ગયો હતો. એવામાં ઢાળ હોવાના લીધે ડમ્પર અચાનક ચાલવા લાગ્યું હતું જેના લીધે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બન્ને ભાઈના ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યા છે.