GujaratAhmedabad

ભાવનગર-અમદાવાદ હાઈવે પર સર્જાયો ભયંકર અકસ્માત, સંઘમાં જતાં ત્રણ યાત્રાળુઓના કરુણ મોત

રાજ્ય સહિત સમગ્રદેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીનેકારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યોછે, હાલના સમયમાં આરોડ અકસ્માતમાં મોટો વધારોનોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ભાવનગર-અમદાવાદ હાઈવેથી સામે આવ્યો છે.

ભાવનગર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં સનેસ ગામ પાસે અજાણ્યા વાહન ચાલક દ્વારા યાત્રાળુઓને અડફેટે લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે.  વાહન ચાલક અકસ્માત કરી નાસી ગયો હતો. વાહન ચાલક દ્વારા સાત યાત્રાળુઓને અડફેટે લેવામાં આવ્યા હતા. જ્યારે 40 યાત્રાળુઓનો સંઘ ભાવનગર તરફ આવી રહ્યો હતો. તે સમયે આ અકસ્માત થયો હતો.

તેની સાથે તમને જણાવી દઈએ કે, સનેસ ગામ પાસે વાહન ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. વાહન ચાલક દ્વારા સાત યાત્રાળુઓને અડફેટે લેવામાં આવ્યા હતા. જેમાં ત્રણ યાત્રાળુઓનાં ઘટનાસ્થળ પર જ કરુણ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે ચાર યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. આ મામલામાં પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.