GujaratNorth Gujarat

સાટા પ્રથાના કારણે એક મહિલાની તેના જ સાસરિયાઓ કરી દીધી હત્યા

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના આંતરોલ નામના ગામે સાટા પ્રથામાં એક 30 વર્ષની ઉંમરની પરિણીતાની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે આ મામલે ટેક્નિકલ સર્વેલન્સ અને તેમના સોર્સના આધારે થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. અને ગુનામાં આરોપી એવા મૃતક મહિલાના દિયર,સસરા અને સાસુને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, થરાદ પોલીસને બાતમી મળી હતી કે આંતરોલ નામના ગામના તળાવમાં મહિલાનો મૃતદેહ પડ્યો છે. ત્યારે પોલીસે સ્થળ મુલાકાત કરતા ત્યાંથી મહિલાનો મોબાઇલ મળ્યો હતો. તેમજ તળાવમાં તપાસ કરતા ત્યાંથી મહિલાની લાશ મળી હતી. લાશની હાલત જોઈને જ હત્યા થઈ હોવાની શંકા જતા પોલીસે મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતો. મહિલાના હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ત્રણ અલગ અલગ ટીમોની રચના કરી હતી. બાતમીદારો તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક મહિલાના સાસરિયાઓ પર શંકા જતા મહિલાના દિયર, સસરા અને સાસુની તપાસ હાથ ધરી હતી. થરાદ પોલીસને આ તપાસમાં સફળતા મળી હતી.

નોંધનીય છે કે, પોલીસ તપાસમાં આરોપીઓએ ગુનો કબુલતા જણાવ્યું હતું સાટા પ્રથાની બાબતને લઈને ઘરમાં દરરોજ કંકાશ થતો હોવાથી આ હત્યા કરી હતી. મૃતક મહિલાના નણંદ રમીલાબેનની સગાઈ મહિલાના ભાઈ સાથે રાજસ્થાનના ગુંદઉં ગામમાં કરી હતી. પરંતુ નણંદના લગ્ન ના કરાવતા એક મહિના અગાઉ મૃતક મહિલાના પિતા મહિલાની સાસરી આંતરોલમાં રમીલાબેન માટે ચાંદીના કડલા તેમજ તોડા લઈને આવ્યાં હતા. આ દરમિયાન મૃતક મહિલાની સાસુએ કડલા અને તોડા નાના લાવ્યા હોવાનું કહીને બોલાચાલી શરૂ કરી હતી. જેથી મહિલાના પોતા ત્યાથીનજતા રહ્યા હતાં અને ત્યારપછી સાસરિયાઓ આ મહિલાને સતત માનસિક ત્રાસ આપવા લાગ્યા હતાં.

તમને જણાવી દઈએ કે, મહિલાના દિયર,સસરા અને સાસુએ સાટા પ્રથાનો અણગમો રાખી સોનમબેન નાઈની હત્યા કરવા માટેનું કાવતરું ઘડી કાઢ્યું હતું. દિયર રાજુભાઇ નાઈ, સસરા તગાભાઈ નાઈ તેમજ સાસુ વાદળીબેન નાઈ મહિલા સાથે બોલાચાલી કરી હતી અને ત્યારપછી કાવતરું રચી મોડી રાત્રીના 3 વાગ્યાની આસપાસ સૌરમબેન તેના પતિથી અલગ ઘરમાં સૂઇ રહી હતી ત્યારે સસરા તગાભાઈ તેમજ સાસુ વાદળીબેને મહિલાના પગ તથા હાથ પકડી રાખ્યા હતા અને મહિલાના દિયર રાજુભાઈએ સોરમબેનના માથામાં ઓઢવાની ચુંદડીથી મહિલાનું મોઢું દબાવી દીધું તેમજ એક હાથથી મહિલાનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ મહિલાનો નાનો દીકરો જાગી જતા સાસુ વાદળીબેને તેને ઢાળીયાના બાજુમાં સુવડાવી દીધો હતો અને પછી ત્રણેય લોકોએ મળીને એક કોથળામાં મહિલાની લાશને ભરીને ટ્રેક્ટર પર મૂકી હતી. અને આંતરોલ ગામમાં આવેલ તળાવમાં તળાવમાં ફેંકી દીધી હતી. ગુનો છુપાવવા માટે થઈને મહિલાના સસરાએ બીજી રાત્રે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ તળાવની પાસે મૃતક સૌરમબેનનો મોબાઇલ મૂકી દીધો હતો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે