અમદાવાદ બ્લાસ્ટમાં પતિ અને દીકરાને ગુમાવનાર માતાએ ઠાલવી વેદના…
અમદાવાદમાં 26 જુલાઈ 2008 ના રોજ થયેલ સિરિયલ બોમ્બ બ્લાસ્ટને તમે ક્યારેય ભૂલી શકો નહીં. આજે પણ તે ઘટનાને યાદ કરતા આંખમાંથી આંસુ આવી જાય છે. ત્યારે વિચારો કે, જેમણે પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે એ પરિવાર પર શું વીતતી હશે? ત્યારે 14 વર્ષથી ન્યાયની રાહ જોતા ગુજરાતીઓ અને તે ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવાર જનોને આજે અંતે ન્યાય મળી ગયો છે.
અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો આજ રોજ ચુકાદો આવી ગયો છે.
જેમા 77 આરોપીઓમાંથી 49 આરોપીઓને દોષિત 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.28 આરોપીઓ વિરુદ્ધ પુરાવાના અભાવ કારણે તેમને નિર્દોષ જાહેર કરાયા છે. આ કેસની સુનાવણી ખાસ કોર્ટના જજ એ.આર પટેલ કરી રહ્યા છે. દોષિત સાબિત થયેલા 49 આરોપીઓને આવતીકાલે 9 ફેબ્રુઆરીના રોજ સજા સંભળાવવામાં આવશે.
એવામાં આજે કેસને લઈને એક જાણકારી સામે આવી છે. આ ઘટનામાં જે લોકો ભોગ બન્યા છે તેની વેદના સાંભળી આજે પણ આંખમાંથી આંસુ આવી જાય. છે. તેમાંથી એક પરિવાર છે જે અસારવામાં વસવાટ કરે છે. આ પિરવારની વાત કરીએ તો તેને એક બ્લાસ્ટમાં ઘરના બે પુરુષોને ગુમાવી દીધા હતા. વ્યાસ પરિવારે એક સાથે પરિવારના બાપ અને દીકરી બંનેને ગુમાવ્યા હતા. જેના લીધે પરિવારની ખૂબ ખરાબ હાલત થઈ ગઈ હતી.
જ્યારે આ ઘટના બની ત્યારે આ પરિવારના મુખ્ય વ્યક્તિ દુષ્યંતભાઈ 2 દીકરા સાથે સાઇકલ ચલાવવા માટે ગયા હતા. તે દરમિયાન બ્લાસ્ટ થતા બંને પુત્રો યશ અને રોહન સાથે બ્લાસ્ટમાં ગભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેમાં તેમનો એક દીકરો યશ બચી ગયો પરંતુ આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, યશ વ્યાસના કાનમાં સાંભળવાની તકલીફ કાયમ માટે રહી ગઈ હતી. જ્યારે તેને શરીરમાં ઘણી ઈજાઓ થઈ છે. ત્યાર બાદ પિતા દુષ્યંતભાઈ અને બીજા પુત્ર રોહનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં ગીતાબેને પતિ અને પુત્રને ગુમાવ્યા હતા. તે આજે પણ આ ઘટનાને ભૂલી શકતા નથી. જેમાં તેમના પતિ અને 11 વર્ષ દીકરા રોહનનું અકાળે મોત નીપજ્યું હતું. જેમાં ગીતાબેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ કેસમાં તમે ન્યાય મળશે. ઘણો વર્ષો પસાર થઈ ગયા છે પરંતુ આ ઘટનાને યાદ કરીને આજે પણ આંખોમાંથી આંસુ આવી જાય છે.
નોંધનીય છે કે, ઉચ્ચ અધિકારીઓની ટીમે આ કેસની તપાસ માટે રાત દિવસ એક કરીને માત્ર 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી 77 આરોપીઓ સામે કેસ ચલાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણીમાં 7 જજ બદલાઈ ગયા છે. આ કેસમાં 1163 જેટલા સાક્ષીઓની જુબાની પણ લેવાઈ છે. અત્યાર સુધીમાં આરોપીઓ સામે કુલ 521 ચાર્જશીટ થઈ છે.
તમને જણાવી દઈએ કે, જ્યારે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે હાલના કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર પણ લોકોની સેવા કરતા હતા અને તે દરમિયાન તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. પ્રદીપ પરમારને એટલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા કે પગ કપાવવાની જરૂર પડે એમ હતો.જો કે, સદનસીબે તત્કાલિક સારવારને કારણે તેમનો પગ બચી ગયો હતો.