AhmedabadGujarat

અમદાવાદમાં IPS ની પત્નીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરતાં પોલીસબેડામાં હડકંપ

ગુજરાતના IPS અધિકારીની પત્નીએ અંડવાદમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના થલતેજમાં રહેતા IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. તેમણે તેમના થલતેજ નિવાસ સ્થાને જ આપઘાત કરી લીધો હતો.IPS આર.ટી.સુસરાના પત્ની સાલુબેન અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા હતા.

હાલ શાલુબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યો છે. આ કેસમાં IPS અધિકારી રાજન સુસરાની પણ પૂછપરછ થશે તેવું કહેવાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ આઇપીએસ રાજન સુસરા તેમના બેડરૂમમાં સૂતા હતા.શાલુબેન બાળકોના રૂમમાં જતા રહ્યા હતા. સવારે રાજન સુસરા જાગ્યા અને જોયું તો શાલુબેન ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.

ઘટના ની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી.આપઘાતની ઘટનાની જાણ થતાં જ સમગ્ર પોલીસ બેડામાં પણ હડકંપ મચી ગયો હતો. જણાવી દઈએ કે આઇપીએસ રાજન સુસરા વલસાડ મરીન સિક્યોરિટીમાં એસીપી તરીક ફરજ બજાવે છે.