Ahmedabad

અમદાવાદમા કોમ્પલેક્ષમાં ભીષણ આગ : જીવ બચાવવા ચોથા માળેથી છલાંગ લગાવનાર યુવકનું મોત..

અત્યારે સમગ્ર દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે મોટા ભાગના લોકો હાલ પોતાના ઘરમાં જ કેદ છે.એવામાં જ શહેરમાં એક દુખદ ઘટના સામે આવી છે. તમને જણાવી દઈએ કે અમદાવાદના નેહરુબ્રિજ પાસે આવેલા સાકાર 7 કોમ્પલેક્ષમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી.

અહી ઉલ્લેખનીય છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કેબલના ડકમાં આગ લાગી હતી અને તેનો ધુમાડો આખા કોમ્પલેક્ષમાં ફેલાઈ ગયો હતો અને જેના કારણે ત્યાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ લોકોમાં એક યુવક હતો જે ખૂબ જ ડરી ગયો હતો અને પોતાનો જીવ બચાવવા માટે છેક ચોથા માળેથી નીચે ઝંપલાવ્યું હતું. તો એ જ દરમિયાન ત્યાં હજાર લોકો એ 108 બોલાવી દીધી હતી અને એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે તંત્રને આ ઘટનાની જાણ થતાં ફાયરની પાંચથી વધુ ગાડી અને હાઈડ્રોપ્લેટફોર્મ સીડી સહિતના સાધનો વડે ત્યાં હજાર થઈ ગયા હતા અને આ કોમ્પ્લેક્સમાં ફસાયેલા લગભગ 50થી વધુ લોકોને નીચે સલામત રીતે ઉતાર્યા હતા.અહી ઉલ્લેખનીય છે કે લોકો ખૂબ જ ગભરાયેલા હતા તેઓને સમજાવી નીચે ઉતાર્યા હતા.સૂત્રોથી મળતી માહિતી મુજબ અત્યારે આગ હાલમાં કાબૂમાં આવી ગઈ છે.