GujaratJunagadhSaurashtra

યાત્રાધામ પાવાગઢમાં વિશ્રામ કુટિર ઉતારતા સર્જાયો અકસ્માત, ત્રણ લોકો દટાયા

યાત્રાધામ પાવાગઢથી અકસ્માતની ફરી એક ઘટના સામે આવી છે. વિશ્રામ કુટિર ઉતારવાની કામગીરી સમયે ફરી અકસ્માત સર્જાયો છે. એવામાં ફરીથી વિશ્રામકુટીરનો ઢાંચો તૂટતા શ્રમિકો નીચે દટાયા હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે આ અકસ્માતમાં ત્રણ શ્રમિકો દટાયા હોવાનું સામે આવ્યું છે. જયારે ઈજાગ્રસ્ત શ્રમિકોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર દોડી આવ્યા અને આ બાબતમાં આગળની કાર્યવાહી શરુ કરી હતી. જ્યારે એક અઠવાડિયા પહેલા જ આવો જ અકસ્માત અહીં થયો હતો, જેમાં એક મહિલાનું મોત અને નવ યાત્રિકોને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. એવામાં હવે આ અકસ્માત સર્જાયો છે.

ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા અગાઉ પાવાગઢના માચી ખાતે અકસ્માત સર્જાયો હતો. જેમાં ભક્તો માટે બનાવવામાં આવેલ વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટી જતા 10 થી વધુ લોકો દટાઈ ગયા હતા. જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સિવાય 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.