GujaratNorth Gujarat

પાલનપુર-અંબાજી હાઇવે પર બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઈકચાલકના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત  બનાસકાંઠા જિલ્લાથી સામે આવ્યો છે.

બનાસકાંઠામાં બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં બે યુવકોના ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.   તેની સાથે અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા અને તેમના દ્વારા આ બાબતમાં પોલીસીને જાણ કરવામાં આવી હતી.  હાલમાં પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:મંગળવારે આ ઉપાય કરવાથી હનુમાનજી દરેક મનોકામના પૂર્ણ કરશે

આ પણ વાંચો: શનિદેવ કેટલો સમય કુંભ રાશિમાં રહેશે? આગામી અઢી વર્ષ સુધી આ લોકોની મુશ્કેલીમાં વધારો કરશે

જાણકારી મુજબ, બનાસકાંઠાના પાલનપુર – અંબાજી હાઇવે પર ધનિયાણા ચાર રસ્તા નજીક ગઈકાલ રાત્રીના બે બાઇક સામસામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, બંને યુવકોના ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યા હતા  આ મામલામાંની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી ગઈ હતી.  ત્યાર બાદ પોલીસ દ્વારા બંનેના મૃતદેહ ને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો: જૂનાગઢ ASI ના મોત મામલે હાઇકોર્ટની ફટકાર બાદ DYSP અને PSI વિરુદ્ધ નોંધાયો ગુનો, જિલ્લા બહારના અધિકારીને સોંપાઈ તપાસ