CrimeDelhiIndia

સાહિલે જાહેરમાં 16 વર્ષીય સાક્ષીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી, હમેશા શાંત રહેતો સાહિલ આટલો ક્રૂર કેમ બન્યો?

દિલ્હીમાં શાહબાદ ડેરી નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે સાહિલ નામના યુવકે 16 વર્ષની છોકરીને જાહેરમાં ચાકુ મારીને હત્યા કરી હતી. સાહિલે જાહેરમાં પહેલા યુવતીને છરી ના ઘા માર્યા અને પછી મોટા પથ્થરથી તેનું માથું કચડી નાખ્યું. આ ઘાતકી હત્યા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસ મુજબ પ્રેમમાં પાગલ યુવકે નારાજગીમાં આ હત્યા કરી હશે.

જોકે આ ઘટનાને લઈને અનેક પ્રકારની વાતો સામે આવી રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સાહિલે તેનો ધર્મ છુપાવીને સગીર સાથે મિત્રતા કરી હતી. બંને વચ્ચે ઘણા સમયથી મિત્રતા હતી.પ્રહલાદપુરના જૈન કોલોની બરવાળામાં રહેતા આરોપી સાહિલના મકાનમાલિક રામફૂલે જણાવ્યું કે સાહિલ છેલ્લા બે વર્ષથી તેની ત્રણ બહેનો અને માતા-પિતા સાથે અહીં રહેતો હતો.

તેના પિતાનું નામ સરફરાઝ છે. તેણે અહીં વિસ્તારમાં ક્યારેય કોઈ સાથે ઝઘડો કર્યો નથી. આજે સવારે જ્યારે મેં આ ઘટનાનો વીડિયો જોયો ત્યારે હું ચોંકી ગયો હતો. એક 16 વર્ષની સગીર છોકરીને 16 વખત છરીના ઘા મારવામાં આવ્યા હતા, તેની ખોપરી હુમલો કર્યા બાદ ફ્રેક્ચર થઈ ગઈ હતી, એવું પોસ્ટમોર્ટમ રિપોર્ટના પ્રાથમિક તારણ દર્શાવે છે. પોલીસ વિગતવાર પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

16 વર્ષની સગીર છોકરીના પિતાનું કહેવું છે કે મારી દીકરીને ઘણી વાર છરીના ઘા મારવામાં આવ્યા અને તેનું માથું કચડી નાખ્યું. અમે આરોપીને કડક સજાની માંગ કરીએ છીએ. મારી દીકરીની હાલત ખૂબ જ ખરાબ હતી. મને તેના વિશે કંઈ ખબર નહોતી. તેમની વચ્ચે શું હતું? ગઈકાલે મને પૂછપરછ દરમિયાન ખબર પડી. મારી પુત્રી સારા સ્વભાવની હતી. મારી માંગ છે કે તેને સખત સજા આપવામાં આવે કારણ કે તેણે મારી પુત્રીની હત્યા કરી છે જેથી ફરીથી કોઈ આવું ન કરી શકે.